દેશનું સૌપ્રથમ `સર્વિસ કમિશનરેટ’ ગુજરાતમાં સ્થપાશે, સરકારનો નિર્ણય
સર્વિસ સેક્ટરના આઇટી, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોના ખજખઊત અને સ્ટાર્ટઅપ્સને મળશે વેગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા `સર્વિસ કમિશ્નરેટ’ની સ્થાપના કરવાનો અને `સર્વિસ કમિશનર’ની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો નિર્ણય કર્યો છે.
આ અંગેની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશનરેટ કાર્યરત છે, તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા જઈ રહ્યું છે.
ગુજરાત પરંપરાગત રીતે તેની મેન્યુફેક્ચરિગ અને ઔદ્યોગિક ક્ષમતા માટે જાણીતું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધુ સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે.
`ૠછઈંઝ’ દ્વારા ગુજરાતમાં સેવા ક્ષેત્રના સુદ્રઢ અને સર્વાંગી વિકાસ માટે સર્વિસ કમિશ્નરેટની રચના કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હાલમાં સર્વિસ કમિશ્નરેટની સ્થાપના અને સર્વિસ કમિશનરની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ કમિશ્નરેટ રાજ્ય અને રાષ્ટ્રીય હિત સાથે સુમેળ સાધીને વિવિધ સર્વિસ ઉદ્યોગોને મજબૂત આધાર પૂરો પાડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: લેબોરેટરીમાં બનાવેલા કરોડો મચ્છરો ગુગલ વાતાવરણમાં ખુલ્લા છોડશે?
મંત્રીએ કહ્યું હતું કે, પરંપરાગત ઉત્પાદન આધારિત ઉદ્યોગોથી આગળ વધીને ગુજરાતે સર્વિસ સેક્ટર આધારિત આધુનિક વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના પરિણામે આઈટી, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોમાં યુવાનો માટે રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી થશે.
આ કમિશનરેટ મુખ્યત્વે રાજ્યના ટુરિઝમ, આઇટી અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનું, નવીન નીતિઓ ઘડવાનું અને સર્વિસ સેક્ટરમાં મોટા પાયે રોકાણો આકર્ષવા માટેનું કેન્દ્રબિદુ બનશે. મેન્યુફેક્ચરિગ સેક્ટરમાં મેળવેલી સફળતા બાદ ગુજરાત હવે સર્વિસ ક્ષેત્ર માટે પણ દેશનું મુખ્ય કેન્દ્ર બનશે.
આ ઐતિહાસિક પહેલ અંતર્ગત સર્વિસ કમિશ્નરેટ હસ્તક વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૧૦૦ કરોડના પ્રસ્તાવિત `સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડ’ની રચના કરવામાં આવી છે. આ ગ્રોથ ફંડનો મુખ્ય હેતુ સેવા ક્ષેત્રમાં કાર્યરત ખજખઊત અને સ્ટાર્ટઅપ્સને ગ્રોથ કેપિટલ સરળતાથી અને સમયસર ઉપલબ્ધ કરાવવાનો છે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.
