Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રેલનગર બ્રિજ સોમવારે ખુલ્લો નહીં મુકાય: વધુ એક મુદ્દત

Sun, November 26 2023

મનપા કોઈ કામ શરૂ કરે’ને સમયસર પૂરું થાય એવું બન્યું છે ક્યારેય ?
૯૦ હજારથી વધુ લોકોએ બે મહિના સુધી દરરોજ કરવી પડી રહી છે વધારાની ૩ કિ.મી.ની પ્રદક્ષિણા': બ્રિજમાંથી નીકળતુંભેદી’ પાણી અટકાવવા તેમજ તેના નિકાલ માટે ૫૬ લાખના ખર્ચે બે મહિનાથી ચાલી રહ્યું છે કામ: ૨૭ નવેમ્બરે ખુલ્લો મુકાનારો બ્રિજ હવે ૧૧ ડિસેમ્બરથી શરૂ થશે

મહાપાલિકા દ્વારા લોકોને પડતી અગવડતા દૂર કરવા માટે કોઈ કામ શરૂ કરવામાં આવે અને જો તે સમયસર પૂર્ણ થઈ જાય તેવું આજ સુધી ક્યારેય બન્યું નથી અને કદાચ બનવાની સંભાવના પણ નહીંવત્‌‍ છે ! સમયસર કામ પૂર્ણ કરવાનો ખરાબ `ટે્રકરેકોર્ડ’ ધરાવતી મહાપાલિકાએ રેલનગર બ્રિજના રિપેરિંગમાં પણ શહેરીજનોને રાહ જોવડાવવાનું નક્કી કરી લીધું હોય તેવી રીતે ફરી પૂર્વવત કરવા માટે ૧૪ દિવસનો વિલંબ કર્યો છે. હવે આ બ્રિજ લોકોના ઉપયોગ માટે ૧૧ ડિસેમ્બરથી શરૂ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

રેલનગર અન્ડરબ્રિજ કે જ્યાંથી દરરોજ ૯૦,૦૦૦ જેટલા વાહન ચાલકો અવર-જવર કરે છે ત્યાં વિના વરસાદે પણ ત્રણથી ચાર ઈંચ જેટલું પાણી ભરાયેલું જ રહેતું હોય આખરે આ પાણી ક્યાંથી આવી રહ્યું છે અને તેનો નિકાલ કેવી રીતે કરવો તે સહિતના માટે મહાપાલિકાએ બ્રિજના રિપેરિંગનો નિર્ણય લીધો હતો. આ પછી ૨૭ સપ્ટેમ્બર (આમ તો ૪ ઑક્ટોબરે કામનું ખાતમુહૂર્ત કરાયું હતું)થી રિપેરિંગ કામે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બ્રિજમાં ઘણી બધી મરામતની જરૂર હોય બે મહિના માટે તેને બંધ કરી ૫૬ લાખ રૂપિયાના ખર્ચે રિપેરિંગ કર્યા બાદ ૨૭ નવેમ્બરે તેને ચાલું કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હજુ ફાઈનલ ટચિંગ બાકી હોવાથી બ્રિજને ૨૭ નવેમ્બર નહીં બલ્કે ૧૧ ડિસેમ્બરથી શરૂ કરવાનું જાહેર કરાયું છે ત્યારે ત્યાં સુધીમાં બ્રિજ શરૂ થાય છે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે.


બ્રિજ બે મહિનાથી બંધ હોવાને કારણે રેલનગરમાં રહેતા અંદાજે ૯૦ હજાર જેટલા લોકોએ દરરોજ વધારાના ત્રણ કિલોમીટરની પ્રદક્ષિણા કરીને ઘેર પહોંચવું પડી રહ્યું હોવાથી હવે લોકો તોબા પોકારી ગયા છે.

પાણી આવતું નહીં અટકે, બ્રિજમાં પડ્યું નહીં રહે
આ અંગે મહાપાલિકાના સિટી ઈજનેર એચ.એમ.કોટકનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે `વોઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૧૧ ડિસેમ્બરથી બ્રિજ શરૂ થઈ જશે. બ્રિજ ૨૭ નવેમ્બરથી શરૂ થવાનો હતો ત્યારે હવે ૧૧ ડિસેમ્બરથી શા માટે શરૂ થશે તેવા પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું કે કામ પૂર્ણ થઈ ગયું છે પરંતુ કોંક્રિટના કેયરિંગ (જાળવણી)ને ૧૫થી ૨૦ દિવસનો સમય લાગી જતો હોવાથી બ્રિજ ૧૧ ડિસેમ્બરથી શરૂ થશે. અત્યારે બ્રિજમાં કલરકામ ચાલી રહ્યાનું ઉમેરી તેમણે કહ્યું કે રિપેરિંગ કામ થયા બાદ બ્રિજમાં પાણી નીકળતું કે આવતું નહીં અટકે પરંતુ બ્રિજમાં પડ્યું નહીં રહે તે વાત નિશ્ચિત છે.

પાણી નીકળતું ન અટકાવી શકાય તો પછી વોટરપ્રુફિંગનો મતલબ શું ?
સિટી ઈજનેર એચ.એમ.કોટકે ભારપૂર્વક જણાવ્યું કે બ્રિજમાં પાણી આવતું નહીં અટકાવી શકાય પરંતુ બ્રિજમાં આવતું પાણી પડ્યું ન રહે તેવું રિપેરિંગ કરવામાં આવ્યું છે ત્યારે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પાણી નીકળતું કે આવતું અટકાવી ન શકાય તો પછી ૫૬ લાખના ખર્ચે કરવામાં આવેલા વોટરપ્રુફિંગનો મતલબ શું રહેશે ? આ ઉપરાંત શા માટે બ્રિજમાં આવતાં પાણીનો નિકાલ બારોબાર થઈ જાય તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ?

Share Article

Other Articles

Previous

યુદ્ધ વિરામ ના બીજા દિવસે વધુ ચૌદ બંધકોની મુક્તિ

Next

બિલ બાબતે કોન્ટ્રાકટરનો તલાટી મંત્રી ઉપર હુમલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
2 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
2 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
2 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

મુકેશ અંબાણીએ બદ્રીનાથ-કેદારનાથ ધામમાં કર્યા દર્શન : ૫ કરોડનું દાન આપ્યુ
Breaking
1 વર્ષ પહેલા
રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન : 85 વર્ષની ઉંમરે લખનૌ પીજીઆઈમાં લીધા અંતિમ શ્વાસ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ઇસ્ટાગ્રામમાં રિલ જોયા બાદ બૉયકોટ ઇઝરાઈલના પોસ્ટરો લગાવનાર ચારની ધરપકડ બાદ મુક્તિ
રાજકોટ
2 વર્ષ પહેલા
ખંડેર બતા રહા હૈ કી ઈમારત કિતની બુલંદ થી…આઝાદી પહેલાનું કાશ્મીરનું હેરીટેજ રેલ્વે સ્ટેશન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર