શ્રેયસ અય્યર હવે ટી-૨૦ ટીમનો કેપ્ટન
સૂર્યકુમાર યાદવને હટાવાયો
ભારતીય ટી-૨૦ ટીમમાં એક મોટો ફેરફાર થયો છે. ટીમ મેનેજમેન્ટને સૂર્યકુમાર યાદવને હટાવી તેના સ્થાને શ્રેયસ અય્યરને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ અને તેની રમતને લઈને સવાલ ઉઠી રહ્યા હતા. ટી-૨૦ વર્લ્ડકપ અને ત્યારબાદની મેચમાં તેનું પ્રદર્શન ધારણા પ્રમાણેનું રહ્યું ન્હોતું. આ ઉપરાંત આઈપીએલમાં પણ તે અમુક મેચને બાદ કરતા નિષ્ફળ નિવડ્યો હતો.
શ્રેયસ અય્યર ઘણા લાંબા સમયથી ભારતીય ક્રિકેટમાં એક વિશ્વાસું બેટર તરીકે ઓળખાય છે. ઘરેલુ ક્રિકેટમાં અને આઈપીએલમાં તે કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. મેદાન ઉપર તે ઉમદા વિચાર સાથે રમે છે અને દબાણયુક્ત સ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લઈ શકવા સક્ષમ છે. આ જ કારણથી તે ટીમ મેનેજમેન્ટની નજરમાં સૌથી યોગ્ય ઉમેદવાર હતો.
તેના કેપ્ટન બનવાની સાથે ભારતીય ટી-૨૦ ટીમમાં ફરી એક નવા દોરની શરૂઆત થશે. સૌની નજર હવે તેના નેતૃત્વમાં આવનારી શ્રેણીઓમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે તેના પર ટકેલી રહેશે.
