પેટ્રોલિયમ મંત્રાલયે ગણિત સમજાવ્યું; યુધ્ધને લીધે લોકોને મુશ્કેલી પડવા દીધી નથી
પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે જ્યારે વૈશ્વિક ક્રૂડ ઓઈલની કિંમતો 135 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી હતી, ત્યારે જો તેલ કંપનીઓએ ઇથેનોલનું મિશ્રણ ન કર્યું હોત તો પેટ્રોલની કિંમત આશરે 125 રૂપિયા પ્રતિ લીટર હોત. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગ્રાહકોએ તેના બદલે પ્રતિ લીટર 94.77 રૂપિયા ચૂકવ્યા હતા, કારણ કે ઘરેલુ સ્તરે પૂર્વ-નિર્ધારિત કિંમતો પર મેળવવામાં આવતું ઇથેનોલ દરેક લીટરમાં 20% હિસ્સો ધરાવતું હતું અને તેણે કટોકટીના શિખર પર પ્રતિ લીટર લગભગ 30 રૂપિયાની બચત કરીને રિટેલ કિંમતોને ક્રૂડના ઉછાળાથી સુરક્ષિત રાખી હતી.
28 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ એશિયાનો સંઘર્ષ શરૂ થયા પછી સરકારે લગભગ 75 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા હતા, ત્યારબાદ મે મહિનામાં પ્રતિ લીટર 7.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં હાલમાં સ્ટાન્ડર્ડ E20 પેટ્રોલ (91-ઓક્ટેન) ની કિંમત 102.12 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે 100-ઓક્ટેન પેટ્રોલની કિંમત 169 રૂપિયા છે.
આ પણ વાંચો: ભાદર,આજી અને ન્યારીમાં પાણીની પુષ્કળ આવક
ફ્યુઅલ એફિશિયન્સીના સવાલ પર, માર્ગ પરિવહન મંત્રાલયે સિયામ અને IOC ના અભ્યાસને ટાંકીને લોકસભામાં જણાવ્યું હતું કે E10 ઇંધણ માટે ડિઝાઇન કરાયેલા BS-3, BS-4 અને BS-6 વાહનો જ્યારે E20 પર ચલાવવામાં આવે છે ત્યારે વાહનની કેટેગરી અને ઉંમરના આધારે માઈલેજમાં 2 થી 6% સુધીનો ઘટાડો થઇ શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયે અગાઉ 20 જુલાઈના રોજ રાજ્યસભાને જણાવ્યું હતું કે આવા વાહનોમાં ઘટાડો આશરે 3 થી 5% સુધી મર્યાદિત છે.
સરકારના જણાવ્યા મુજબ, લેબ અભ્યાસો અને વાસ્તવિક દુનિયાના ડેટા દર્શાવે છે કે E20 ઇંધણથી વાહનના પ્રદર્શન પર કોઈ પ્રતિકૂળ અસર પડી નથી. અત્યાર સુધીમાં 20 કરોડથી વધુ ટુ-વ્હીલર્સ અને 3 કરોડથી વધુ પેટ્રોલ કાર આ બ્લ્લેન્ડ સાથે એન્જિન ફેલ્યોરના કોઈપણ ચકાસાયેલા પુરાવા વિના દોડી ચૂકી છે.
