રાજ્ય સરકારે ૨૩૦૦થી વધુ તલાટી મંત્રીઓને નિમણુંક પત્ર આપ્યા
રાજ્યમાં એક તરફ ૨૩૦૦થી વધુ તલાટી મંત્રીઓને સરકારે નિમણુંક પત્ર આપ્યા છે અને દરેક તલાટી મંત્રીને ફાળવેલા જિલ્લામાં તાકિદે હાજર થવા હુકમ કરાયો છે તો બીજીબાજુ તલાટી મંત્રી મહામંડળ દ્વારા મહેસુલી કામગીરીના વિરોધમાં આજે કામગીરીનો બહિષ્કાર કરી હડતાલ પર ઉતરી ગયા હતા.
ગુજરાતમાં લાંબા સમયથી તલાટી મંત્રીઓની અનેક જગ્યા ખાલી હોય જેના કારણે ફરજ બજાવતા તલાટીઓ પર વધારાની મહેસુલની કામગીરી સોંપી દેવામાં આવી હતી.
તલાટી મંત્રીઓને વધારાની કામગીરી તેમજ લાંબા સમયથી પડતર જોબ કાર્ડની માંગણી સાથે શુક્રવારે એક દિવસની હડતાળ પર ઉતરી રાજ્યભરના તમામ તલાટીઓએ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.
તલાટી મંડળના હોદ્દેદારોના જણાવ્યા પ્રમાણે સરકાર સાથે અગાઉ થયેલી વાટાઘાટો મુજબ તલાટી મંત્રીને મહેસુલ તલાટીના જોબચાર્ટ અલગ કરવાના હતા પરંતુ લાંબો સમય વિતી ગયો હોવા છતાં તેનો અમલ કરાયો નહોતો.
આ પણ વાંચો: ઉર્દૂ વિદેશી નહીં પણ ભારતની જ ભાષા : મુરલી મનોહર જોશી
બીજીબાજુ ગુરૂવારે રાજ્ય સરકારે ૨૩૦૦થી વધુ તલાટી મંત્રીઓને નિમણુંક પત્ર આપ દરેકને પોતાને ફાળવેલા જિલ્લામાં હાજર થવા હુકમ કર્યો છે જેમાં રાજકોટ જિલ્લામાં ૯૨ તલાટી મંત્રી ફાળવવામાં આવ્યા છે જેમાંથી ૮૯ તલાટી મંત્રી કલેકટર સમક્ષ હાજર થયા હતાં.
રાજકોટ જિલ્લામાં હાજર થયેલા તલાટી મંત્રીઓને એક-બે દિવસમાં જ પોસ્ટીંગ આપી દેવામાં આવશે. નવા તલાટી મંત્રી હાજર થતા ખેડુતોની પેન્ડીંગ અરજીઓનો તાત્કાલીક નિવેડો આવશે.
