પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા સમાજમાં ભારે આક્રોશ
પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતાં વિવાદને લઈ રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે આવેદન પત્રક આપ્યું તો સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી

પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતાં વિવાદને લઈ રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા. જ્યાં સમાજના આગેવાનોએ પોલીસ મથકે આવેદન પત્રક આપ્યું હતું. પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થયા બાદ સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી.
યાત્રાધામ પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા રોષે ભરાયેલ જૈન સમાજ ના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા. વિગતો મુજબ પાવાગઢ, વડોદરા, સુરત, મુંબઈ જૈન સમાજના અગ્રણીઓ અહીં પહોંચ્યા હતા.
નોંધનિય છે કે, પાવાગઢમાં મંદિર જવાના જુના રસ્તે મૂર્તિઓ હટાવાતા વિવાદ બાદ હવે મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા જૈન સમાજની માંગણી છે. જુના દાદર પર લગાવેલી મૂર્તિઓ હટાવતા વિવાદ થયા બાદ સ્થાનિકોએ પાવાગઢ પોલીસ મથકે આવેદન પત્ર પાઠવ્યું છે. આ સાથે લાગણી દુભાઈ હોવાની જૈન સમાજે રજુઆત કરી છે.
પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં રોષના માહોલ વચ્ચે હવે સુરતથી મોટી અપડેટ સામે આવી છે. સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી આ મામલે રજૂઆત કરી હતી. વિગતો મુજબ 200-300 જૈન સમાજના આગેવાનો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી. મહત્વનું છે કે, રાત્રે કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.