ઘણા લાંબા સમય બાદ શહેરમાં એકસાથે ૫૩ PSI બદલાયા: DCB-SOGમાં પણ ફેરફાર
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ `ફિફટી’ ફટકારતા ઘણા લાંબા સમય બાદ એક સાથે ૫૩ સબ ઈન્સ્પેક્ટરની બદલીના હુકમ કર્યા હતા. શહેરની મહત્ત્વની ગણાતી ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીમાં પણ ફેરફાર થયા હતા.
ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ એસ.વી.ચુડાસમાને ઝોન-૨ એલસીબીમાં મુકવામાં આવ્યા છે. ઝોન-૨ પીએસઆઈ આર.એચ.ઝાલાની પાલનપુર ખાતે બદલી થતાં તેમના સ્થાને એસ.વી.ચુડાસમા આવ્યા છે. આ જ રીતે ડીસીબી પીએસઆઈ આર.કે.ગોહિલની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં બદલી કરવામાં આવી છે. જ્યારે એ-ડિવિઝન પીએસઆઈ એસ.એમ.રાણા અને ગાંધીગ્રામના વી.ડી.રાવલિયાની ક્રાઈમ બ્રાન્ચમાં બદલી કરાઈ છે.
આ પણ વાંચો: રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારી શરૂ: આજે મળશે બેઠક
જ્યારે એસઓજી પીએસઆઈ વી.કે.ઝાલાને એ-ડિવિઝન તો તેમના સ્થાને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના બી.વી.ચુડાસમાને મુકાયા છે. જ્યારે માલવિયાનગર પોલીસ મથકના વી.આર.ઝાલાની બદલી આર્થિક ગુન્હા નિવારણ શાખામાં કરાઈ છે. સાયબર ક્રાઈમ પીએસઆઈ કે.બી.વરિયાને એ-ડિવિઝન તો જી.કે.રાઠોડની એરપોર્ટ પોલીસ મથકમાં બદલી કરાઈ છે. આ ઉપરાંત તાલુકા, બી-ડિવિઝન, કૂવાડવા રોડ, ભક્તિનગર, થોરાળા, આજીડેમ, એ-ડિવિઝન, પ્ર.નગર સહિતના પોલીસ મથકમાં પણ પીએસઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
