દેશના 458 રેલવે સ્ટેશન ઉપર પાણીમાં ખતરનાક બેક્ટેરિયા મળ્યા
કેગ રિપોર્ટ અનુસાર દેશના રેલ્વે સ્ટેશનોના વોટર કુલર અને પીવાના પાણીમાં પ્રદૂષણ, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં થઈ ચકાસણી
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG)એ ૧૨ ઓગસ્ટે સંસદમાં રજૂ કરેલા અહેવાલમાં “ દેશના રેલ્વેના નોન-સબર્બન રેલ્વે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ અને સેનિટેશન” વિષય પર ગંભીર ખામીઓ દર્શાવી છે. આ અહેવાલમાં ખાસ કરીને સ્ટેશનો પરના વોટર કુલર અને પીવાના પાણીની ગુણવત્તા અંગે ચિંતાજનક તારણો આપવામાં આવ્યા છે. 458 રેલવે સ્ટેશન પર વોટર કુલરમાં ઈ- કોલી નામના ઝેરી બેક્ટેરિયા મળી આવ્યા છે જે આરોગ્યને જોખમમાં મૂકી શકે છે.
કુલ ૫૧૨ નોન-સબર્બન સ્ટેશનોની ઓડિટ કરવામાં આવી હતી. તેમાંથી ૪૫૮ સ્ટેશનો (લગભગ ૮૯%)માં એક અથવા વધુ ન્યૂનતમ આવશ્યક સુવિધાઓમાં ખામી જોવા મળી છે. માત્ર ૫૪ સ્ટેશનો (૧૧%)માં કોઈ ખામી નહોતી. મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોના રેલ્વે સ્ટેશન ઉપર આ મુજબની ચકાસણી કરવામાં આવી હતી.
વોટર કુલરની ઉપલબ્ધતામાં ૪૦% સ્ટેશનોમાં ખામી, પીવાના પાણીના નળોમાં ૨૭% સ્ટેશનોમાં ખામી, પંખાઓમાં ૪૨% સ્ટેશનોમાં ખામી જોવા મળી છે. આ બધા જ સ્ટેશનોમાં વોટર કુલર માંથી નમુના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચકાસણી થઈ હતી.
આ પણ વાંચો: હોટલ, રીસોર્ટ, કોટન મીલ બન્યા જુગારના અખાડા: ૫૦ લાખના મુદ્દામાલ સાથે ૩૬ ઝડપાયા
છ ઝોનના ૫૯ સ્ટેશનો પર પીવાના પાણીની બેક્ટેરિયોલોજિકલ તપાસ જ કરવામાં આવી નહોતી.
ક્લોરિનનું સ્તર નિયત મર્યાદા (૦.૨ થી ૦.૫ પીપીએમ)ની બહાર ૨૦૨૨-૨૩માં ૧૩૫ સ્ટેશનો અને ૨૦૨૩-૨૪માં ૧૩૯ સ્ટેશનો પર જોવા મળ્યું. ઘણા સ્ટેશનોમાં ૫૦%થી વધુ ટેસ્ટમાં ક્લોરિન સ્તર અસંતોષકારક હતું.
ગંભીર પ્રકારના રોગ થવાનું જોખમ
E. coli માનવ મળમાંથી આવતું બેક્ટેરિયા છે અને તેના કારણે ફૂડ પોઈઝનિંગ, ઝાડા અને કિડની ફેલ્યોર જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
અન્ય સંબંધિત ખામીઓ
પાસેન્જર એમેનિટીઝ મેનેજમેન્ટ સિસ્ટમ (PAMS)ના વિશ્લેષણમાં લેટ્રીનમાં ૨૦૧ સ્ટેશનો, યુરિનલમાં ૪૦૩ સ્ટેશનો અને પાણીના નળોમાં ૨,૦૩૫ સ્ટેશનોમાં ખામી જોવા મળી. NSG-1 કેટેગરીના મોટા સ્ટેશનોમાં પણ પીવાના પાણીના નળ, વોટર કુલર અને પંખાઓની કમી હતી.
કેગ દ્વારા શું થઈ છે મહત્વની ભલામણો
કેજીએ પાણી પુરવઠા સિસ્ટમની નિયમિત તપાસ અને યુનિફોર્મ ડ્રિન્કિંગ વોટર ક્વોલિટી પ્રોટોકોલ અનુસાર તમામ પેરામીટર્સની વ્યાપક ટેસ્ટિંગ સુનિશ્ચિત કરવાની ભલામણ કરી છે. રેલ્વે બોર્ડના નિયમોનું પાલન ન થવાને કારણે આ ખામીઓ ઉદ્ભવી છે. જો આ પ્રકારની મેદરકારી દૂર કરવામાં નહીં આવે તો મુસાફર જનતાનું આરોગ્ય ભારે મોટા જોખમમાં મુકાઈ શકે છે.
