મહારાષ્ટ્રમાં શું થશે રાજકીય ખેલો ? કોણ કરશે નવાજૂની ? વાંચો
રાજકીય રીતે દેશના બીજા સૌથી મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સના શાનદાર પ્રદર્શન બાદ મહાગઠબંધનના મુખ્ય પક્ષ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે રાજકીય ગણતરીઓ શરૂ કરી દીધી છે. તેમના માટે સૌથી મોટા ‘દુશ્મન’ નેતા અને મુખ્યમંત્રી એકનાથ શિંદે છે જેમણે શિવસેનાને કબજે કરી હતી. ઠાકરે જુથ વિધાનસભા ચૂંટણીમાં એકનાથ શિંદેને હરાવવાની કોઈ તક છોડવા માંગતુ નથી. તે માટે પ્લાન બની ગયો છે. વિધાનસભા ચુંટણી પહેલા અહીં મોટો ખેલો થવાનો છે.
આ વ્યૂહરચના હેઠળ ઉદ્ધવ ઠાકરે રવિવારે છત્રપતિ સંભાજીનગરની મુલાકાતે ગયા હતા. એમણે ખેડૂતો સાથે વાત કરી હતી. ત્યારબાદ ભાજપના અસંતુષ્ટ નેતા રાજુ શિંદે શિવસેના ઠાકરે જૂથમાં જોડાશે. તેમની સાથે અન્ય ઘણા નેતાઓ પણ ઉદ્ધવ જૂથમાં જોડાઈ શકે છે. ભાજપ માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતાઓની વિનંતી છતાં રાજુ શિંદેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
દલિત ચહેરો
રાજુ શિંદે છત્રપતિ સંભાજીનગરના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તેઓ ભાજપના અનુસૂચિત જાતિ સેલના પ્રદેશ પ્રભારી હતા. ઉદ્ધવ જૂથમાં જોડાતા પહેલા, તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ માત્ર એકનાથ શિંદ કેમ્પ માટે કામ કરી રહી છે. અમે લોકસભા ચૂંટણીમાં તેમના માટે ઘણી મહેનત કરી, પરંતુ તેમણે અમને કોઈ શ્રેય ન આપ્યો. ઘણા કાર્યકરો હવે ભાજપમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે.
બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે, મંત્રી અતુલ સેવ સહિતના કેટલાક નેતાઓ રાજુ શિંદેને સમજાવતા રહ્યા. આ નેતાઓ વચ્ચે લગભગ દોઢથી બે કલાક સુધી ચર્ચા ચાલી હતી. રાવસાહેબ દાનવેએ આ બેઠક માટે તેમની નિર્ધારિત મુલાકાત રદ કરી છે.