ભારતે અમેરિકાને કઈ બાબતમાં નહોર ભરાવ્યા ? શું કહ્યું ? જુઓ
ભારત અમેરિકાથી જરાય દબાતો નથી અને કાયદેસરની વાત હોય તો મોઢું ફેરવતો નથી તેવું સ્પષ્ટ વલણ ગેરકાયદે વસાહતીઓની બાબતમાં ભારતે લીધું છે અને અમેરિકા સામે નહોર ભરાવ્યા છે. ગેરકાયદે રહેતા ભારતીયોને પાછા લાવી શકાય છે પણ પહેલા અમેરિકાએ આ લોકોના દસ્તાવેજો ભારત સાથે શેર કરવા પડશે જેથી ચકાસણી થઈ શકે કે આ લોકો વાસ્તવમાં ભારતીય છે કે નહીં. આમ એક ઘા અને બે કટકા જેવો જવાબ આપી દીધો છે .

આ વાત વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવી છે. જો કે, વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારત અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ભારતીયોને પાછા લેવા માટે તૈયાર છે, જો તેમની રાષ્ટ્રીયતા ચકાસવામાં આવે. આ સાથે તે ગેરકાયદે ઇમિગ્રેશનનો વિરોધ પણ કરે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવા અંગે જણાવ્યું હતુ કે, ‘અમે એવા ભારતીય નાગરિકોને પાછા લાવીશું જેઓ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે અને યોગ્ય દસ્તાવેજો વિના અમેરિકા સહિત ક્યાંય પણ રહી રહ્યા છે. પરંતુ શરત એ છે કે તેમની રાષ્ટ્રીયતા ચકાસતા જરૂરી દસ્તાવેજો અમારી સાથે શેર કરવા જોઈએ.
જયસ્વાલે વધુમાં જણવ્યું હતું કે, ‘ભારત-અમેરિકા સંબંધો ખૂબ જ મજબૂત છે. બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો ખૂબ જ ખાસ છે. અમે વેપાર સંબંધિત કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમેરિકા અને ભારત વચ્ચે પદ્ધતિઓ સ્થાપિત કરી છે. અમારો અભિગમ હંમેશા આ રહ્યો છે. બંને દેશોના હિતોને ધ્યાનમાં રાખીને રચનાત્મક રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો ઉદ્દેશ્ય છે. અમે અમેરિકી વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છીએ.’
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા ભારતમાંથી લગભગ 18,000 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં આવી હોવાના અહેવાલો અંગે રણધીર જયસ્વાલે જણવ્યું હતું કે, ‘ભારત ગેરકાયદે ઇમિગ્રેશનનો વિરોધ કરે છે.