દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત : પંતની વાપસી, શમીને ફરી ન મળ્યું સ્થાન,જાણો ટીમમાં કયા ફેરફાર કરાયા
દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઋષભ પંત ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે ઝડપી બોલર આકાશ દીપ પણ ઈજા પછી વાપસી કરી રહ્યો છે. પંતને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે, જ્યારે શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝ 14 નવેમ્બરથી શરૂ થશે. ત્યારે મહત્વની વાત એ છે આ વખતે પણ શમીનું પત્તું કપાયું છે.
કરુણ નાયરને ફરી એકવાર અવગણવામાં આવ્યો
ટીમમાં મોટાભાગે એ જ ખેલાડીઓનો સમાવેશ થાય છે જે વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ નો ભાગ હતા. કરુણ નાયરને ફરી એકવાર અવગણવામાં આવ્યો છે. તે તાજેતરમાં રણજી ટ્રોફીમાં ઉત્તમ ફોર્મમાં છે. દરમિયાન, યશસ્વી અને રાહુલ ફરી એકવાર ટીમ માટે ઇનિંગ ખોલવાની જવાબદારી સંભાળશે. સુદર્શન ત્રીજા નંબર પર રમશે. સુદર્શનને ત્રીજા નંબર પર તક આપવામાં આવી શકે છે, જ્યારે દેવદત્ત પડિકલ અથવા ધ્રુવ જુરેલને ચોથા નંબર પર તક આપવામાં આવી શકે છે.
🚨 News 🚨#TeamIndia squad for Test series against South Africa and India A squad against South Africa A announced.
— BCCI (@BCCI) November 5, 2025
Details 🔽 | @IDFCFIRSTBank https://t.co/dP8C8RuwXJ
ભારતની ટેસ્ટ ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર) (ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.
BCCI પસંદગી સમિતિએ આગામી બે મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલને આ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ઋષભ પંત ઉપ-કેપ્ટન અને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
આ ટેસ્ટ સીરિઝ ને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખૂબ જ અપેક્ષિત મુકાબલો માનવામાં આવે છે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચો : ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: આ તારીખથી ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદી કરાશે શરૂ
ઋષભ પંતની વાપસી
ઋષભ પંતની વાપસી પણ મોટા સમાચાર છે. ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, દક્ષિણ આફ્રિકા A સામે સારી ઇનિંગ્સ રમીને તેણે સ્વસ્થ થવાના સંકેતો દર્શાવ્યા હતા. હવે તે પાછો ફર્યો છે, જે WTC અભિયાન માટે સારો સંકેત છે.
આ પણ વાંચો : કોહલીનું ‘વિરાટ’ કરિયર : પિતાનું અવસાન અને એ રણજી ટ્રોફીની મેચ જેમાં…કિંગ કોહલીના 37માં બર્થડે પર જાણો અદ્ભુત રેકોર્ડ્સ વિશે
આકાશદીપને પણ તક મળી
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ટીમનું સંતુલન મજબૂત બનાવશે, જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ નવી બોલ બોલિંગમાં અનુભવ લાવશે. યુવા ફાસ્ટ બોલર આકાશ દીપને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે તેને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક આપી શકે છે.
સીરિઝ નું સમયપત્રક
ટેસ્ટ સીરિઝ ની પહેલી મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે.
ભારત A ODI ટીમની પણ જાહેરાત
BCCI એ ભારત A ODI ટીમની પણ જાહેરાત કરી છે. એવું માનવામાં આવતું હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમાં રમશે, પરંતુ બંને ટીમનું નામ સામેલ કરવામાં આવ્યું નથી.
ટીમ આ પ્રમાણે છેઃ તિલક વર્મા (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બદોની, નિશાંત સિંધુ, વિપ્રરાજ નિગમ, માનવ સુથાર, પ્રસિદ્ધ ક્રિષ્ના, ખલીલ અહેમદ અને પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).
