Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

અટકળોનો અંત : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે જ નીકળશે, અધિકારીઓએ કર્યું રૂટનું નિરીક્ષણ

Fri, June 20 2025


અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એવી અટકળો ચાલી રહી હતી કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાદાઈથી કાઢવામાં આવી શકે છે ત્યારે આજે તમામ અટકળોનો અંત આવી ગયો છે.  ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે જ નીકળશે.



વર્ષ 1869થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ દિવસ સુધી ધામધૂમથી અમદાવાદના માર્ગો પરથી રથયાત્રા નીકળે છે ત્યારે આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા રંગેચંગે જ નીકળશે. 27જૂનના રોજ અષાઢી બીજ છે ત્યારે રથયાત્રાનું આયોજન  કરવામાં આવે છે ત્યારે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે નેતા-અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના રુટમાં આવતા ભયજનક મકાનો સામે એક્શન લેવામાં આવશે તેમજ રવિવારે આખો દિવસ મામેરાનાં દર્શન થશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના જેના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા છે. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તેવી અટકળો વહેતી થઈ હતી ત્યારે આજે તમામ અટકળોનો અંત લાવતા જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા અને મંદિરના મહંત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ‘દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે તે પ્રમાણે તૈયારી કરવામાં આવી છે.’ 

આ પણ વાંચો : વિસાવદરમાં શાંતિપૂર્ણ 60% મતદાન : EVMમાં ઉમેદવારોનું ભાવિ કેદ, 4% જેવો વોટિંગમાં વધારો કોને ફળશે અને કોને નડશે?

રથયાત્રાના રુટનું નિરીક્ષણ  

રથયાત્રાની તૈયારીઓને અનુસંધાને આજે અધિકારીઓએ અને ભાજપના પદાધિકારીઓએ રુટનું નિરક્ષણ કર્યુ હતું. અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મંદિરના મહેન્દ્ર ઝા સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું.

રથયાત્રાનો રુટ આ મુજબ છે

સવારના નિજ મંદિરેથી રથયાત્રાની શરુઆત થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ જય જગન્નાથજીના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરશે.

Share Article

Other Articles

Previous

લો બોલો! રેસકોર્સનું ક્રિકેટ સ્ટેડિયમ જ્યાં વર્ષમાં 5 રાષ્ટ્રીય મેચ નથી રમાતી ત્યાં 5 કરોડના ખર્ચે નવું પેવેલિયન બનશે

Next

વિસાવદરમાં શાંતિપૂર્ણ 60% મતદાન : EVMમાં ઉમેદવારોનું ભાવિ કેદ, 4% જેવો વોટિંગમાં વધારો કોને ફળશે અને કોને નડશે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
2 કલાક પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
3 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
3 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

હેમંત સોરેનને શું લાગ્યો ફટકો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેજરીવાલે પાક. ના મંત્રીને કેવી રીતે ઝાટક્યા ?
નેશનલ
1 વર્ષ પહેલા
આજે લોકસભાના સ્પીકરની ચૂંટણી માટે અંતે વિપક્ષને TMCનો સાથ મળ્યો, રાહુલ ગાંધીએ મમતાને મનાવી લીધા
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
રાજકોટ સ્પીપા સહિત રાજ્યના 7 સેક્શન અધિકારીની બદલી, 2ને પ્રમોશન
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર