ચાર વર્ષથી પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારના પરિવારને ન્યાય કોણ આપશે ?
માછીમારની પત્નીની વ્યથાઃ બે બાળકો નાના, પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું ? વડાપ્રધાન સહિત સરકારને રજૂઆત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખજુદ્રા ગામના વતની ચૌહાણ નાથાભાઈ બાવભાઈ આશરે ચાર વર્ષ પહેલા પોરબંદર માછીમારનો ધંધો કરવા માટે ગયેલા હતા. દરિયા માં માછીમારી કરવા પાકિસ્તાન બોર્ડર પર થી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ખલાસીઓ ને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યાર
બાદ આજ દિન સુધી ચૌહાણ નાથાભાઈ વતન પરત આવ્યા નથી. નાથાભાઈની પત્નીએ વધુ માં જણાવ્યુ હતુ કે મારા પતિ ની પાછળ જે લોકો પકડાયા હતા તે છુટા થઈ ઘરે આવી ગયા છે. મારે નાના બે બાળકો છે મારા ઘર પરિવાર નુ ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. સરકાર વહેલી તકે મારા
પતિ ને છોડાવે તેવી અપીલ કરી છે. સરકાર આજે ગરીબ માછીમારોને ભૂલી ગયા છે. વર્ષ ૨૦૨૧થી પાકિસ્તાન જેલમાં માછીમાર પરિવારને કોણ ન્યાય આપે. કોળી સમાજના રાજકીય નેતાઓ સામાજિક સંસ્થાઓ આગેવાનો સામાન્ય ગરીબ પ્રજાને ન્યાય આપવા આગળ આવે તેવી અપીલ કરી છે.