Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ખોડલધામ ટ્રસ્ટની નવતર પહેલઃ રાજકોટમાં વૈદિક વિવાહનો પ્રારંભ

Thu, December 12 2024

ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે તમામ જ્ઞાતિના લોકો વૈદિક વિવાહમાં જોડાઈ શકશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે સમાજ ઉત્થાનની પણ અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક, શિક્ષણ, આરોગ્ય અને ખેતીલક્ષી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ત્યારે લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ ન થાય અને સમાજને એક નવીન દિશા મળે તેવા ઉદ્દેશ સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક વિવાહની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર આસ્થા ચોક પાસે આવેલા શ્રી ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે વૈદિક વિવાહનો આજથી પ્રારંભ થયો છે.

આજ રોજ તારીખ 12 ડિસેમ્બરના રોજ શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે મલ્ટી પર્પઝ હોલમાં પ્રથમ વૈદિક વિવાહ યોજાયા હતા. જેમાં સાવરકુંડલાના ભરતભાઈ કારિયાની પુત્રી હસ્તી કારિયાના લગ્ન ગોંડલ તાલુકાના રીબ ગામના મુકેશભાઈ પીપળીયાના પુત્ર સંદીપ પીપળીયા સાથે યોજાયા હતા. વૈદિક વિવાહ પ્રસંગે બન્ને પક્ષ તરફથી 25-25 મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને હિંદુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વૈદિક વિવાહ સંપન્ન થયા હતા. આ તકે નવ દંપતીને ખોડલધામના ટ્રસ્ટીઓએ મા ખોડલની પ્રતિમા આપીને લગ્ન જીવનની શુભકામના પાઠવી હતી. બન્ને પક્ષ દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનો આભાર વ્યક્ત કરાયો હતો અને ટ્રસ્ટના વૈદિક વિવાહના વિચારની સરાહના કરી હતી.

વૈદિક વિવાહ વિધિ કરનાર શાસ્ત્રી હિતેષભાઈ દવેએ જણાવ્યું હતું કે, હાલના ઝડપી યુગમાં લગ્ન પ્રસંગોમાં ડેકોરેશન, વ્યસન અને ફેશન જ જોવા મળે છે અને આપણી મૂળ સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. જ્યારે વૈદિક વિવાહ કરવાથી દામ્પત્ય જીવનની અંદર યશ, વિજય, માન-પાન, પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ આ વૈદિક વિવાહ માટે તમામ જ્ઞાતિના લોકોને વિરાટભાવથી આવકારે છે. અહીં આવનાર વરઘોડીયા વૈદિક વિધિથી સંસ્કારિત થશે અને મા ખોડલના આશીર્વાદ લઈને જશે.

શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે દિવસમાં ચાર વૈદિક વિવાહ યોજવામાં આવશે. વૈદિક વિવાહ પ્રસંગમાં વર અને કન્યા પક્ષ તરફથી 25-25 લોકો જ ઉપસ્થિત રહી શકશે અને સાદગીપૂર્ણ રીતે વિવાહ પ્રસંગ યોજી શકાશે. વૈદિક વિવાહમાં કોઈપણ જ્ઞાતિના લોકો નજીવી રજિસ્ટ્રેશન ફી ભરીને જોડાઈ શકશે. વૈદિક વિવાહ માટે અગાઉથી બુકિંગ કરાવવું અનિવાર્ય છે. હાલ વૈદિક વિવાહ માટેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. બુકિંગ કરાવવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ મુખ્ય કાર્યાલય, સરદાર પટેલ ભવન, નવું બિલ્ડિંગ, ચોથો માળ, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, ન્યૂ માયાણીનગર, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, રાજકોટ, મો.નં. 7486020810 અથવા 9712947894 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Share Article

Other Articles

Previous

તો અમે પણ હિંદુ મંદિરોના સર્વેની માંગણી કરીશું: ડો.આંબેડકરના પ્રપૌત્રની ચીમકી

Next

ભરણ પોષણની રકમ નક્કી કરવા માટે સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શિકા જારી કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
9 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
9 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
9 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
10 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની યાત્રા માટે મોરેશિયસ પહોંચ્યા, એરપોર્ટ પર વડાપ્રધાન રામ ગુલામ સહિત તમામ 34 મંત્રીઓ સ્વાગત માટે હાજર રહ્યા
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
કરણપરામાં વિપ્ર બંધુની હત્યાના પ્રયાસમાં ચારની ધરપકડ
રાજકોટ
2 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા કરવા મમતાની માંગણી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજ્ય સરકારનું આકરું પગલુ : રાજકોટનાં ઈન્ચાર્જ ચેરિટી કમિશનરની સત્તા ઉપર કાપ, ચાર્જ આંચકી લેવાયો
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર