દેશમાં કેટલી ફ્લાઇટોને મળી બોમ્બની ધમકી ? વાંચો
દેશમાં હવાઈ સેવા અને રેલવે સેવાને ભય હેઠળ રાખવા માટે ધમકીઓ અપાઈ રહી છે અને મુસાફર જનતામાં ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સોમવારે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની બે ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જો કે કોઈ અનિચ્છનીય ઘટના બની નહતી.
દિલ્હી પોલીસ તરફથી જાણકારી મળતાં એર ઇન્ડિયાની મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દિલ્હી તરફ ડાયવર્ટ કરીને આઇજીઆઇ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.જો કે બધાજ મુસાફરી સુરક્ષિત છે.
ઇન્ડિગોની બે ફ્લાઈટ
એર ઇન્ડિયા બાદ ઇન્ડિગોની બે ફ્લાઇટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ફ્લાઇટોની સુરક્ષા તપાસ તાત્કાલિક શરુ કરી દેવામાં આવી હતી. જેમાં ઇન્ડિગોની પ્રથમ ફ્લાઇટ મુંબઈથી જેદ્દાહ જઈ રહી હતી, જેનો નંબર 6E56 છે, તેમજ બીજી ધમકી મુંબઈથી મસ્કત જઈ રહેલી ફ્લાઇટ નંબર 6E1275ને આપવામાં આવી હતી. બન્ને ફ્લાઇટની સુરક્ષા તપાસ તાત્કાલિક શરુ કરી દેવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના બની નથી.
ઘટના બાદ દિલ્હી પોલીસ અને ઍરપૉર્ટ સ્ટાફે હાઇ એલર્ટ જાહેર કરી દીધું હતું. એર ઇન્ડિયાએ મુસાફરો અને જનતાને શાંતિ જાળવવા અને કોઈપણ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટના તમામ ભાગોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. અને મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી. કશું વાંધાજનક મળ્યું નહતું.