રાજકોટ તાલુકા પંચાયતમાં ઓબીસી,એસસીના દાખલ કાઢવાની ઝડપી કામગીરી
૧૫’દીમાં જ ૨૫૦થી વધુ દાખલા સેમ-ડે કાઢી અપાયા
રાજકોટ તાલુકા પંચાયતમાં અરજદારોને ઓબીસી, એસ.સી સહિતના દાખલ કાઢવાની કામગીરી ઝડપી કરવામાં આવી છે. છેલ્લા ૧૫ દિવસમાં જ ૨૫૦થી વધુ અરજદારોને દાખલા કાઢી આપવામાં આવ્યા છે.
રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજાદોરોને ઓબીસી, એસસી, ઇડબ્લ્યુએસ જેવા દાખલા કાઢવાની કામગીરી તાલુકા પંચાયતની વહીવટી શાખા દ્વારા કરવામાં આવે છે. જે કામગીરી હાલમાં ખૂબ જ ઝડપી બનાવવામાં આવી છે. રાજકોટ તાલુકા પંચાયતમાં જુદા-જુદા દાખલાઓ કઢાવવા માટે હાલમાં રોજના ૧૫ થી ૨૦ અરજદાર આવી રહ્યા છે.
રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા આ અરજદારોને ધક્કા ખાવા ન પડે તે માટે તેઓને સેમ-ડે દાખલા કાઢી આપવામાં આવી રહ્યા છે. વહીવટી શાખામાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે તાલુકા પંચાયતમાં રોજ અનેક અરજદારો આવે છે. જેમને તે જ દિવસે દાખલા મળી રહે તે માટે ઝડપી કામગીરી કરવામાં આવે છે. છેલ્લા ૧૫ દિવસમાં ૨૫૦થી વધુ ઓબીસી, એસસી સહિતના દાખલા કાઢી આપવામાં આવ્યા છે.