ભરૂચનાં અમોદમાં કોમી વૈમનસ્ય ફેલાવવા બદલ મૌલવીની ઘરપકડ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક મૌલવીએ હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ ફતવા તરીકે વાયરલ કરી હતી તે સંદર્ભે પોલીસે મૌલવીની ધરપકડ કરી છે. મૌલવીની અગાઉ આદિવાસીઓના ધર્માંતરણ પ્રકરણમાં પણ સંડોવણી હોવાના કારણે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક મૌલવીએ બકરા ઈદને લઇ કુરબાનીનો તરીકે પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરી હતી. જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેનાથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવું કૃત્ય હતું. જે પોલીસના ધ્યાને આવતા તપાસ કરવામાં આવતા કુરબાનીનો ફતવો વાયરલ કરનાર મૌલવી અબ્દુલ રહીમ રાઠોડે પોતાના મોબાઈલમાંથી કર્યો હોવાનું ફલિત થયું હતું.
તેથી મોલવીએ સૌપ્રથમ સોશિયલ મીડિયા ઉપર માફીની પોસ્ટ મૂકી હતી. પરંતુ બકરા ઇદના તહેવારને લઈ પોલીસે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર મોલવી અબ્દુલ રહીમ રાઠોડની ધરપકડ કરી તેની વિરુદ્ધ વિવિધ આઈપીસીની કલમ તથા સાઈબર એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ કરતા ઝડપાયેલા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડ અગાઉ તાલુકાના કાંકરિયા ગામના આદિવાસી લોકોને ધર્માંતરણ કરવામાં પણ સંડોવાયેલો હતો. પોલીસે અત્યારે મૌલવી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.