કેજરીવાલને શું લાગ્યો ઝટકો ? વાંચો
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બુધવારના રોજ રાઉસ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો. તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. તબિયતને ટાંકીને કેજરીવાલે સાત દિવસ માટે વચગાળાના જામીન માંગ્યા હતા. કોર્ટે એમ પણ કહ્યું કે જેલ પ્રશાસને કેજરીવાલની બીમારી સંબંધિત તપાસ કરવી જોઈએ. આમ કેજરીવાલે હજુ જેલમાં જ રહેવું પડશે.
કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરતા ઇડીએ કહ્યું હતું કે કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એમણે સતત પ્રચાર કર્યો હતો પણ કેજરીવાલની તબિયત જ્યારે આત્મસમર્પણ કરવાનો સમય આવ્યો ત્યારે બગડી હતી.
કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 10 મેના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન પર 1 જૂન સુધી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી, તેણે વચગાળાના જામીન સાત દિવસ માટે લંબાવવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
જો કે, 29 મેના રોજ સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીએ તેમની અરજીને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો. આ અરજીમાં કેજરીવાલે એવી અરજી કરી હતી કે તેમનું વજન ઘટી રહ્યું છે અને કીટોનનું સ્તર ઊંચું હોવાથી તેમને મેડિકલ તપાસ કરાવવા માટે સમયની જરૂર છે.