રાહુલ પર શિક્ષણશાસ્ત્રીઓ શા માટે ગુસ્સે થયા ? વાંચો
શું કહ્યું હતું રાહુલે ?
કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂકની પ્રક્રિયાને લઈને કરવામાં આવેલી ટિપ્પણીઓથી નારાજ દેશના 181 અગ્રણી વાઇસ ચાન્સેલરો અને શૈક્ષણિક હસ્તીઓએ કોંગ્રેસ નેતા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ‘ખુલ્લો પત્ર’ લખ્યો છે. આ પત્રમાં રાહુલ ગાંધી પર રાજકીય લાભ લેવાના હેતુથી જૂઠાણાનો આશરો લઈને મોટા પાયે કુલપતિની ઓફિસને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમની સામે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે.
પત્રમાં રાહુલ ગાંધીની ટિપ્પણીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ટ્વીટ્સ અને ખુલ્લા સ્ત્રોતોથી ધ્યાનમાં આવ્યું છે કે તેઓ કહી રહ્યા છે કે વાઇસ ચાન્સેલરોની નિમણૂક યોગ્યતાના કે મેરીટના આધારે થતી નથી. પરંતુ કોઈપણ સંસ્થા સાથે જોડાણના આધારે કરવામાં આવે છે, જે વાઇસ ચાન્સેલરની નિમણૂક માટેની પસંદગી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કરે છે.
અગ્રણી વાઈસ ચાન્સેલરો અને શૈક્ષણિક હસ્તીઓએ તેમના ‘ઓપન લેટર’માં રાહુલ ગાંધીના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે તેઓ આવા દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢે છે. યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોની પસંદગી મેરીટ, વિદ્વતાપૂર્ણ તફાવત અને સખત પારદર્શક પ્રક્રિયાના આધારે કરવામાં આવે છે. તેમની પસંદગી સંપૂર્ણપણે શૈક્ષણિક યોગ્યતા, વહીવટી કુશળતા અને યુનિવર્સિટીઓને આગળ લઈ જવાની દ્રષ્ટિ પર આધારિત છે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે જ્ઞાનના રક્ષકો અને એકેડેમીયાના વહીવટકર્તાઓ તરીકે તેઓ શાસનની અખંડિતતા, નૈતિક વર્તણૂક અને સંસ્થાકીય અખંડિતતાના ઉચ્ચ સ્તરને જાળવવા માટે અતૂટ પ્રતિબદ્ધતા જાળવી રાખે છે.
રાહુલ ગાંધી અને અન્ય લોકોને પત્રમાં એવો આગ્રહ કરાયો છે કે તમે તથ્યોને કલ્પનાથી અલગ કરવામાં વિવેક રાખો અને નિરાધાર અફવા ફેલાવવાથી દૂર રહો. તમે બધા રચનાત્મક અને સહાયક સંવાદમાં ભાગ લ્યો.