ઓછા મતદાને રાજકીય પક્ષોના ધબકારા વધારી દીધા
લોકસભાની ચૂંટણીમાં શુક્રવારે સતત બીજા ચરણમાં પણ 2019 ની તુલનામાં મતદાનમાં ઘટાડો થતાં રાજકીય પક્ષો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. મતદારોએ પોતાનું મન કળવા દીધું નથી. લોકોમાં મતદાન પ્રત્યેના નિરુત્સાહ પાછળ જે તે રાજ્યમાં પ્રવર્તતી શાસન વિરોધી લાગણી જવાબદાર હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. એક તરફ ભાજપ શાસિત રાજ્યોમાં મતદાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તો બીજી તરફ મમતા બેનર્જી શાસિત વેસ્ટ બંગાળમાં પણ મતદાન ઘટયું છે. બિહાર અને કર્ણાટકમાં મતદાનમાં નજીવો ફેરફાર થયો છે. સૌથી વધારે મધ્યપ્રદેશમાં 12.83 ટકા જેવો ઘટાડો નોંધાતા રાજકીય વિશ્લેષકો અને રાજકીય પક્ષો ચકરાવે આવે ચડ્યા છે.એક માત્ર છત્તીસગઢમાં જ મતદાન વધ્યું છે. મહારાષ્ટ્રમાં ગઠબંધનોના બદલાયેલા સમીકરણ વચ્ચે જંગી મતદાન થવાની અપેક્ષા હતી પરંતુ ત્યાં પણ મતદાન ઘટ્યું છે. સામાન્ય રીતે જ્યાં જંગી માત્રામાં મતદાન થતું હોય છે એવા આસામ,કેરાળા અને ત્રિપુરામાં પણ મતદાનમાં ઘટાડો થયો છે. હિન્દીભાષી રાજ્યોમાં થયેલા ઓછા મતદાન બાદ ભારતીય જનતા પક્ષનું 400 પારનું સ્વપ્નું સાકાર થશે કે કેમ તેવા સવાલો ઉઠવા લાગ્યા છે. 2019 ની ચૂંટણીમાં બાલાકોટ એર સ્ટ્રાઈકને પગલે મતદારોમાં જણાતો હતો એ ઉત્સાહ આ વખતે રામ મંદિર નિર્માણ છતાં નજરે નથી પડતો તેવું ચિત્ર ઉપસ્યું છે.
ક્યા રાજ્યમાં મતદાનમાં કેટલો ઘટાડો
મધ્યપ્રદેશ 12.83 ટકા
કેરળ. 6.87 ટકા
વેસ્ટ બેંગાલ 6.17 ટકા
ઉત્તર પ્રદેશ. 4.36 ટકા
આસામ. 4.25 ટકા
રાજસ્થાન. 2.27 ટકા
મહારાષ્ટ્ર. 1.39 ટકા
ત્રિપુરા. 2.74 ટકા
આ મહાનુભાવોની બેઠક ઉપર પણ મતદાન ઘટ્યું
વાયનાડ: આ બેઠક ઉપરથી રાહુલ ગાંધી ચૂંટણી લડ્યા હતા. ત્રિપાઠી હોવા છતાં મતદાનમાં 6.08% નો ઘટાડો થયો છે.થીરુવંતપુરામ: કોમ્બિનેતા શશી થરૂર અને કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર વચ્ચેના જંગને કારણે પ્રતિષ્ઠા ભરી બની ગયેલી આ બેઠક પર 7.27% ઓછું મતદાન થયું.
મથુરા: આ બેઠક ઉપર ભાજપ તરફથી હેમામાલીની ચૂંટણી લડ્યા હતા. સમગ્ર ભારતમાં સૌથી ઓછું મતદાન આ બેઠક પર થયું છે. ગત ચૂંટણીની તુલનામાંએ બેઠક ઉપર 11.79 ટકાનો ઓ સાધારણ ઘટાડો નોંધાયો છે.
ઉતર પ્રદેશની આ બેઠકો ઉપર મતદાનમાં જંગી ઘટાડો
ઉત્તર પ્રદેશમાં એનડીએ, ઇન્ડિયા ગઠબંધન અને બહુજન સમાજ પાર્ટીનાં ત્રિપાંખિયા જંગ વચ્ચે પણ
આમરોહીમાં સાત ટકા, બાગપતમાં ૯ ટકા, મથુરામાં 12 ટકા તેમ જ ગૌતમ બુદ્ધ નગર અને બુલંદશહેરમાં સાત સાત ટકાનો ઘટાડો નોંધાયો છે.