તેલંગણામાં કેવી કરૂણ ઘટનાઓ બની ? જુઓ
કોણે કરી લીધા આપઘાત ?
તેલંગણામાં ઇન્ટરમીડિયેટના પરિણામ જાહેર થતાં જ થોડાક જ કલાકોમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં 7 કિશોરો અને કિશોરીઓએ આત્મહત્યા કરી લેતાં એમના પરિવારોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. પોલીસે પણ આ ઘટનાને સમર્થન આપીને કહ્યું હતું કે પરિણામ બાદ કિશોરોએ આપઘાત કર્યો છે. પરિક્ષમાં ફેલ થઈ ગયાનું દુખ તેઓ સહન કરી શક્યા નથી.
કમનસીબ બધા કિશોરોની ઉમર 17 વર્ષ અથવા તેનાથી ઓછી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2019 માં પણ આ જ પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ 22 કિશોરોએ આપઘાત કરી લીધા હતા. ફરીવાર એવી જ કરૂણ ઘટના બની છે. માતાપિતા અને પરિવારો વિલાપ કરી રહ્યા છે.
પોલીસ અધિકારીઓએ મીડિયાને એવી માહિતી આપી હતી કે કિશોરોના આપઘાતના ખબર અમને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મળ્યા હતા અને પોલીસ ટુકડીઓ દોડતી થઈ ગઈ હતી. આપઘાત કારનારમાં કન્યાઓનો પણ સમાવેશ થાય છે.
દર વર્ષે આવી ઘટનાઓ બને છે છતાં તળાવ અને કૂવા પર કોઈ વ્યવસ્થા કરાતી નથી અને માતાપિતા પણ ઘરમાં ફાંસો ખાઈ લેતા સંતાનોને બચાવવા માટે કોઈ જાગૃત્તિ બતાવતા નથી. શુક્રવારની આ ઘટનાઓમાં બે કિશોરોએ પોતાના જ ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.