ઇરાનમાં ભારત સહીત વિશ્વના અનેક નેતાઓ શ્રધ્ધાંજલિ આપવા પહોંચ્યા
કેન્દ્રીય મંત્રી પવિત્ર માર્ગરેટ, ગવર્નર અતા હસનેને વડાપ્રધાન મોદી વતી પુષ્પાંજલિ અર્પિત કરી ;9 મીએ દફનવિધિ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે ઈરાનથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ સુરક્ષાના કારણોસર તેમના દિવંગત પિતા અને ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના જનાઝાના કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં. અંતિમ વિધિમાં તેઓ ગેરહાજર રહેશે. આજથી અંતિમ સંસ્કાર વિધિ શરૂ થઈ ગઈ છે જે 9 સુધી ચાલશે અને કેન્દ્ર સરકાર વતી વિદેશ રાજ્યમંત્રી પવિત્ર માર્ગરેટ અને રાજ્યપાલ અતા હસનેંન હાજરી આપી રહ્યા છે.
દરમિયાનમાં ભારતમાં રહેતા મોજતબાના પ્રતિનિધિ આયતોલ્લાહ હકીમ ઈલાહીના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલ તરફથી મળી રહેલી ધમકીઓ અને સર્વેલન્સના જોખમને કારણે મોજતબાનું જાહેરમાં આવવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: ઇરાનના નેતાઓ ગાલિબાફ, અરાઘચીની હત્યા કરી દેવાનો ઇઝરાયલનો પ્લાન હતો, અમેરિકાએ બચાવી લીધા
ઈરાન પર સતત 36 વર્ષ સુધી શાસન કરનારા અલી ખામેનેઈ ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. જેના કારણે મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ ફાટી નીકળ્યું હતું. સામાન્ય રીતે ઇસ્લામિક કાયદા મુજબ મૃતદેહને 24 કલાકમાં દફનાવવાનો નિયમ છે, પરંતુ ઈરાનમાં યુદ્ધની સ્થિતિ હોવાના કારણે આ એક અપવાદ રાખવામાં આવ્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના વિદેશ બાબતોના વડા સલમાન ખુરશીદ સહિત ઘણા અન્ય શિયા નેતાઓએ પણ સલાત-અલ-જાનાઝા (અંતિમ સંસ્કાર) અદા કરી અને દિવંગતો માટે પ્રાર્થના કરી. અલ જઝીરાના અહેવાલ મુજબ, અંતિમ વિદાય સમારંભમાં હાજરી આપવા માટે ૨ કરોડથી વધુ લોકો તેહરાન પહોંચવાની અપેક્ષા છે. અંતિમ સંસ્કાર કાર્યક્રમ ૯ જુલાઈ સુધી ચાલશે. ત્યારબાદ ખામેનીને તેમના વતન મશહદમાં દફનાવવામાં આવશે. આ ઉપરાંત ભારતથી જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભારતીય પ્રતિનિધિમંડળ સાથે સુપ્રીમ લીડરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
