ગાઝિયાબાદમાં વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ વીડિયો સાથે જીવન ટૂંકાવ્યું
NEETની પરીક્ષાનો દબાણ ફરી એક જીવ લઈ ગયો. ગાઝિયાબાદમાં 22 વર્ષીય NEETના વિદ્યાર્થીએ સત નિષ્ફળતા અને માનસિક તણાવથી કંટાળીને રૂમમાં ફાંસો ખાઈ લીધો. મૃત્યુ પહેલાં તેણે ભાવનાત્મક વીડિયો રેકોર્ડ કરીને કહ્યું કે તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. આ ઘટના એવા સમયે બની જ્યારે NEET-UG 2026ની પુનઃપરીક્ષા 21 જૂને યોજાવાની છે અને 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવમાંથી પસાર થઈ રહ્યા છે.
રૂમમાં લટકતો મળ્યો મૃતદેહ, વીડિયોમાં કહી વેદના
ગાઝિયાબાદના વિજય નગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 22 વર્ષીય યુવાન છેલ્લા ઘણા સમયથી NEETની તૈયારી કરી રહ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ તે વારંવાર પરીક્ષા આપી રહ્યો હતો, પણ સફળતા ન મળતા ખૂબ જ ડિપ્રેશનમાં હતો. ગુરુવારે રાત્રે તે અભ્યાસ માટે રૂમમાં ગયો અને બીજા દિવસે સવારે દરવાજો ન ખૂલતા પરિવારે અંદર પ્રવેશ કર્યો તો તે ફાંસીથી લટકતો મળી આવ્યો.
પોલીસને તપાસ દરમિયાન વિદ્યાર્થીનો મોબાઇલ મળ્યો જેમાં તેણે મૃત્યુ પહેલાં પોતાના માટે રેકોર્ડ કરેલો વીડિયો હતો. વીડિયોમાં તેણે કહ્યું કે વારંવાર પ્રયાસો છતાં NEET ક્લિયર ન થવાથી તે માનસિક રીતે તૂટી ગયો હતો. તેણે સ્પષ્ટ કર્યું કે તેના આ પગલા માટે પરિવાર, મિત્રો કે કોચિંગ કોઈ જવાબદાર નથી.
પોલીસ તપાસ, મૃતદેહ પોસ્ટમોર્ટમમાં
વિજય નગર પોલીસ સ્ટેશનને જાણ થતા જ ACP ઉપાસના પાંડેની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને મોબાઇલ તથા અન્ય પુરાવા જપ્ત કર્યા. હાલ કેસની તપાસ ચાલી રહી છે અને આત્મહત્યાના ચોક્કસ કારણો શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
NEETના દબાણ વચ્ચે ગંભીર સવાલ
આ આત્મહત્યા એવા સમયે સામે આવી છે જ્યારે NEET-UG 2026ની પુનઃપરીક્ષા 21 જૂન, રવિવારે દેશભરમાં યોજાવાની છે. આ પરીક્ષામાં ભારત અને વિદેશના 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી 5:15 સુધી પેન-પેપર મોડમાં લેવાશે.
વારંવાર પેપર લીક, રદ અને પુનઃપરીક્ષાના વિવાદો વચ્ચે વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ સત વધી રહ્યું છે. કોકરોચ જનતા પાર્ટી જેવા સંગઠનો પણ આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓની આત્મહત્યા પર સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે.
જો તમે પણ તણાવમાં છો તો મદ લો
NEET જેવી એક પરીક્ષા જીવન નથી. નિષ્ફળતા કામચલાઉ છે, પણ જીવન કિંમતી છે. જો કોઈ વિદ્યાર્થી ડિપ્રેશન કે તણાવ અનુભવે તો પરિવાર, મિત્રો કે કાઉન્સેલર સાથે વાત કરે. હેલ્પલાઇન નંબર 14416 પર મદ ઉપલબ્ધ છે.
