શહેરના મવડી વિસ્તારમા આવેલી પ્રજાપતિ સોસાયટીમા રહેતા ૫૦ વર્ષીય આધેડે એકલવાયુ જીવનથી કટાળીને ઝેરી દવા ગટગટાવી જીદગી ટૂકાવી લીધી હતી. વિગતો મુજબ, ઓમનગર સર્કલ નજીક આવેલી પ્રજાપતિ સોસાયટીમા રહેતા દીપકભાઈ કરશનભાઈ લાઠીયા (ઉં.વ. ૫૦) ગત તા. ૧૩ જૂનના રોજ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ તેમની તબિયત લથડતા તેઓ ઉલટીઓ કરવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ પાડોશીઓને થતા તેઓએ તુરત જ દીપકભાઈના ભત્રીજા હિરેનભાઈને ફોન કરીને જાણ કરી હતી.કાકાએ દવા પીધી હોવાની જાણ થતા હિરેનભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપકભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા ખસેડ્યા હતા.
આ પણ વાંચો: હજુ પગ પણ નથી પહોંચતા ‘ને ટેણિયા ચડ્યા બાઇક ચોરીના રવાડે!
જોકે, હોસ્પિટલના બિછાને સઘન સારવાર વચ્ચે આજે તેમનુ મોત નિપજ્યુ હતુ. બનાવ અગે તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમા જાણવા મળ્યુ હતુ કે, મૃતક દીપકભાઈ બે ભાઈઓમા નાના હતા અને હાલ નિવૃત્ત જીવન ગાળતા હતા. તેઓ ઘરમા એકલા જ રહેતા હતા.
લાબા સમયથી એકલવાયુ જીવન જીવતા હોય, આ એકલવાયા જીવનથી કટાળી જઈને તેમણે આ પગલુ ભરી લીધુ હોવાનુ સામે આવ્યુ છે.
