યુદ્ધના પડઘા રાજકોટ સુધી: સોનુ-ચાંદી મોંઘા, ગ્રાહકો ગાયબ, મિડલ ઈસ્ટ તણાવને પગલે ગોલ્ડ-સીલ્વરના ભાવમાં ધરખમ વધારો
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાનનાં યુદ્ધને પગલે સોનુ,ચાંદી અને ખાદ્ય તેલનાં ભાવમાં આગ લાગી હોય તેમ નવું સપ્તાહ શરૂ થતાની સાથે ઉછાળો આવ્યો છે.સોમવારે માર્કેટ શરૂ થયાની ગણતરીની મિનિટોમાં સોનાના ભાવમાં 5,800 જેટલો ઉછાળો આવ્યો હતો અને ત્યારબાદ સોનાની સપાટી વધુ ઊંચકાઈ હતી. સોનામાં દિવસ દરમિયાન 7000 જેટલો વધારો નોંધાયો છે.
મધ્ય પૂર્વમાં તણાવ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. 3 માર્ચની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,70,500 પર પહોંચી ગયો. આ દરમિયાન, 22 કેરેટ સોનાનો ભાવ ₹1,56,290 રુપિયા પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોમવારે શરૂઆતના કારોબારમાં સોનું 2 ટકાથી વધુ વધીને $5,390 પ્રતિ ઔંસ થયું હતુ
સોમવારના ભાવ
ઇન્ડિયા બુલીયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન માં નોંધાયેલા મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 7000 વધ્યા હતા અને જેને લઈને 1.66 લાખની સપાટી પહોંચી ગઈ છે. એમસીએક્સમાં ગોલ્ડ 4.10% સોનુ વધી 1,68,750 અને સિલ્વરમાં4.85 ટકાના ઉછાળા સાથે એક જ દિવસમાં ચાંદીમાં 14 હજારનો વધારો થયો હતો અને એક કિલો ચાંદી 2,96,737 ની સપાટી એ આવ્યું છે.
આ પણ વાંચો :VIDEO: રાજકોટના ભગવતીપરાના ત્રિશૂલ ચોકમાં હોલિકા દહન સમયે જ સ્કૂટર કાઢવા બાબતે માથાકૂટ,3 લોકોની પોલીસે કરી અટકાયત
વર્ષ 2025થી સોના ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટી એ પહોંચી રહ્યા છે ત્યારે વરસ 2026 ની શરૂઆત સાથે બંને ધાતુઓ આસમાનને આવી રહી છે અને બીજી તરફ અમેરિકા ઇઝરાઇલએ ઈરાન પર કરેલા હુમલાથી ફરી સોનુ અને ચાંદીમાં યુદ્ધ ઈફેક્ટ જોવા મળતાં રાજકોટ સહિત દેશભરની ઝવેરી બજારમાં મંદીનું મોજુ ફરી વર્યુ છે. રાજકોટમાં હાજર સ્ટોકમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,73,146 ને ચાંદી 2,85,181 બોલાઈ રહ્યો છે.
ખાદ્ય તેલમાં સપ્લાય ચેઈન ખોરવાય તેવી અટકળો વચ્ચે ભાવમાં તેજી
યુદ્ધના પગલે ખાદય તેલના ભાવોમાં તેજી આવી છે. પામોલીન અને કપાસિયા તેલમાં ઉછાળો નોંધાયો છે રાજકોટની બજારમાં કપાસિયા તેલના ડબ્બામાં 20 રૂપિયાના ઉછાળા સાથે 2285 થી લઈ 2325 સુધીનો ભાવ થયો છે અને પામોલીન તેલની વ્યાપક માત્રામાં આયાત થાય છે. સોયાબીન, સૂર્યમુખી તેલનું ઘર આંગણે ઉત્પાદન થતું હોવા છતાં આયાતની માત્રા ઘણી વધારે છે આથી યુદ્ધના લીધે પુરવઠાની ચેઇન ખોવાઈ જાય તેવી શક્યતા વેપારીઓ સેવી રહયા છે.યુદ્ધ લાંબો સમય ચાલે તેવી અટકળો વચ્ચે સપ્લાય ચેઈન ખોરવાઈ જાય તેવા નિર્દેશ છે.
