માઈક્રોસોફ્ટ ખામીને લીધે દુનિયાને કેટલું થયું નુકસાન ? જુઓ
માઈક્રોસોફ્ટ આઉટેજ; દુનિયાને 18 અબજ ડોલરનું નુકસાન
- એકલા માઇક્રોસોફ્ટને રૂપિયા 50 અબજનો ધુમ્બો લાગ્યો : ભારતમાં એરલાઇન્સની કામગીરી રાબેતા મુજબ હોવાનું મંત્રાલયનું નિવેદન; વિશ્વમાં 5 હજાર ફ્લાઇટો રદ થઈ
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામી સર્જાયાને બે દિવસનો સમય થઈ ગયો છે. હજુ સુધી પૂરો રીતે સિસ્ટમ એક્ટિવ નથી. ખામીને કારણે વિશ્વભરમાં અબજો રૂપિયાનું નુકસાન થયું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકલા માઇક્રોસોફ્ટને લગભગ 50 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન અબજો રૂપિયાનું છે. એક રિપોર્ટ અનુસાર, સર્વરમાં ખામી સર્જાતા દુનિયાને થોડા કલાકોમાં 18 અબજ ડોલર (લગભગ 15 ટ્રિલિયન રૂપિયા)નું નુકસાન સહન કરવું પડ્યું હતું. જો કે હજુ સુધી ચોક્કસ આંકડા સામે આવ્યા નથી. આ સમસ્યાનો ઉકેલ આવશે ત્યારે જ નુકસાનનું ચિત્ર સ્પષ્ટ થશે.
બીજી તરફ શનિવારે પણ તેની અસર જોવા મળી રહી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ઈન્ડિયો એરલાઈન્સે કહ્યું છે કે તેની અસર સપ્તાહના અંતે પણ રહી શકે છે. એરલાઈન્સે મુસાફરોને એરપોર્ટ માટે રવાના થતા પહેલા તેમની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરવા જણાવ્યું છે. આ માટે, કંપનીએ એક લિંક પણ શેર કરી છે જેમાં PNR અને અન્ય વિગતો ટાઈપ કરીને ફ્લાઇટનું સ્ટેટસ જાણી શકાય છે.
દેશમાં સ્થિતિ સામાન્ય
એરપોર્ટ પરની તમામ એરલાઇન્સ સિસ્ટમે સરળતાથી કામ કરવાનું શરૂ કર્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે કહ્યું કે એરપોર્ટ પર એરલાઇન સિસ્ટમ સવારે 3 વાગ્યાથી સામાન્ય રીતે કામ કરવા લાગી હતી. ફ્લાઇટ ઓપરેશન હવે સરળતાથી ચાલી રહ્યું છે. જો કે શુક્રવારના વિક્ષેપોને કારણે થોડો બેકલોગ છે, તે ધીમે ધીમે સાફ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વભરમાં 5 હજાર ફ્લાઇટ્સ રદ
શુક્રવારે આ ખામીના કારણે વિશ્વભરના એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઠપ્પ થઈ ગઈ હતી. લગભગ 5 હજાર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ભારતમાં 300 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જેમાં એકલા ઈન્ડિગોની 250થી વધુ ફ્લાઈટ્સ સામેલ હતી. સ્પાઈસ જેટની કોઈ ફ્લાઈટ કેન્સલ થઈ નથી. એરલાઈન્સે આ અંગે એક્સ પર પોસ્ટ પણ કરી છે. આમાં ઝીરો કેન્સલેશન લખ્યું છે. શનિવારે કોઈપણ એરલાઈન્સની ફ્લાઈટ કેન્સલ થવા અંગે કોઈ માહિતી આવી નહતી. પરંતુ એરલાઈન્સે મુસાફરોને એરપોર્ટ પર આવવા પર વધારાનો સમય આપવા જણાવ્યું હતું.
કેટલીક કંપનીઓને તકલીફ
જો કે શનિવારે પણ સિસ્ટમ બરાબર કાર્યરત નહીં થવાથી દુનિયાની અનેક કંપનીઓને તકલીફનો સામનો કરવો પડ્યો છે અને કેટલીક કંપનીઓ સેલેરી કરી શકશે નહીં તેવી વાત બહાર આવી હતી. ભારતમાં કોઈ ખાસ અસર અસર જોવામળી નથી. વિદેશમાં હજુ પણ કામગીરી અનેક પ્રકારની ખોરંભે રહી છે.