આજથી રાજકોટમાં અઢી લાખ વૃક્ષનું વાવેતર : દરેક શિવ મંદિરમાં બિલ્વપત્ર વૃક્ષો વવાશે, બોલેલું પાળી બતાવે તેવી આશા !
રાજકોટના ગ્રીનકવરમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો હોય ખાસ કરીને ગરમીની સીઝનમાં લોકોની હાલત કફોડી થઈ રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે આજથી રાજકોટમાં અઢી લાખ વૃક્ષોનું વાવેતર કરવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવનાર હોવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે તંત્ર પણ બોલેલું પાળી બતાવે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે.

મેયર નયનાબેન પેઢડિયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતનાએ જણાવ્યું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષ વાવેતર ઝુંબેશનો પ્રારંભ કરાશે. સૌપ્રથમ વોર્ડ નં.2માં આવેલા રેસકોર્સ સંકુલ વિસ્તારમાં શ્રી કલ્પના ચાવલા મેમોરિયલ ગાર્ડનમાં વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના શિવ મંદિરોમાં બિલ્વ વૃક્ષોના વૃક્ષારોપણ માટે ભોમેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે બિલ્વ વૃક્ષનું વાવેતર કરી ઝુંબેશ શરૂ કરાશે.
આ પણ વાંચો :રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ : આ તારીખથી શરૂ થશે સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ વિતરણ, આ રીતે કરો અરજી
ત્યારબાદ ચાલું વર્ષે `એક પેડ મા કે નામ 2.0′ અભિયાન અંતર્ગત સ્માર્ટ સિટી વિસ્તારમાં ત્રણ પ્લોટમાં કુલ 1,42,452, વોર્ડ નં.18ના કોઠારિયામાં ટીપી પ્લોટ નં.13ના ઑક્સિજન પાર્કમાં 300, વોર્ડ નં.18માં તિરૂપતિ વોટર પમ્પીંગ સ્ટેશન ખાતે 16000, રામવનની સામેના પ્લોટમાં 1350, રામવન પાર્કિંગની બાજુમાં 1750, આજીડેમ હિલ ગાર્ડનની પાછળ 4640, આજીડેમ પક્ષીઘર પાસે 5080, અલગ-અલગ ગાર્ડન, ટાઉન પ્લાનિંગ પ્લોટમાં 78428 મળી કુલ 2.50 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.