સાબરકાંઠા : ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત
રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સાબરકાંઠામાં સામે આવી છે જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે ત્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
![](https://voiceofdaynews.com/wp-content/uploads/2024/06/image-15-963x1024.png)
મળતી વિગતો અનુસાર આ ઘટના સાબરકાંઠાના ઇડર-હિંમતનગર હાઇવે પરની છે જ્યાં મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પથ્થર ભરેલા એક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો . આ પરિવાર મુંબઈથી પોતાના વતન નેત્રામલી ખાતે આવ્યો હતો. આ પરિવાર નેત્રામલીથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાતા પરિવારના 4 સભ્યોના મોત નીપજ્ય છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતકોના મૃતદેહ ને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
![](https://voiceofdaynews.com/wp-content/uploads/2024/06/image-16-1024x531.png)
મૃતકોમાં એક ડૉક્ટરના પરિવારના સભ્યો સામે હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક પરિવારના ૪ સભ્યોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે રોડ સમારકામની કામગીરીને કારણે છેલ્લાં એક અઠવાડિયામાં આ જ રોડ પર 5 અકસ્માત થયા છે ત્યારે ધીમા કામકાજ બદલ લોકોએ હાઇવે ઓથોરિટી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.