હવે 24 કલાક હનુમાનજી સાથે વાત કરો અમદાવાદની સ્ટાર્ટઅપનું અનોખું AI પ્લેટફોર્મ લોન્ચ
ભાષાઓમાં વોઇસ અને ટેક્સ્ટ ચેટની સુવિધા; એકલતા સામે આધ્યાત્મિક સાથી તરીકે રજૂ કરાયું
અમદાવાદની ટેકનેલોજી સ્ટાર્ટઅપ Viru Appએ આધ્યાત્મિકતા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને જોડતો અનોખો પલેટફોર્મ ‘Talk2Hanumanji’ લોન્ચ કર્યો છે. કંપનીના દાવા મુજબ, આ દેશનું પ્રથમ એવું AI આધારિત પ્લેટફોર્મ છે, જ્યાં લોકો હનુમાનજી સાથે ૨૪ કલાક પોતાની ભાષામાં વોઈસ અથવા ટેક્સ્ટ દ્વારા વાતચીત કરી શકે છે. આ સેવા હાલમાં ૨૧ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આજના સમયમાં વધતી એકલતા, માનસિક તણાવ અને ભાવનાત્મક મુશ્કેલીઓ વચ્ચે લોકો માટે આધ્યાત્મિક આધારરૂપ બની રહે તે હેતુથી આ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. WHO પણ એકલતાને વૈશ્વિક સમસ્યા તરીકે ગણાવી રહી છે. ભારતમાં પણ કિશોરોથી લઈને વૃદ્ધો સુધી મોટી સંખ્યામાં લોકો એકલતાનો સામનો કરી રહ્યા છે, જ્યારે દરેક વ્યક્તિ માટે કાઉન્સેલિંગ અથવા થેરાપી સરળતાથી ઉપલબ્ધ નથી. આ સ્થિતિમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા લોકોને માનસિક સાંત્વના આપી શકે છે તે વિચાર સાથે આ પહેલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: હવે દરરોજ નહીં, અઠવાડિયે એક જ વખત ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવું પડશે
કંપનીનો દાવો છે કે Talk2Hanumanjili વિશ્વની અધ્યતન AI ટેકનેલોજી સાથે કંપની દ્વારા તૈયાર કરાયેલ એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજી એન્જિનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ વપરાશકર્તાની જન્મવિગતો અને અન્ય મૂળભૂત માહિતીના આધારે તેમની માનસિક સ્થિતિ અને જીવનની વર્તમાન પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ, શરૂઆતના ઘણા વપરાશકર્તાઓએ પ્રથમ જ વાતચીત બાદ આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું હતું કે, “હનુમાનજીને મારી પરિસ્થિતિ વિશે આટલી સચોટ જાણ કેવી રીતે થઈ?” નીરજ કંજાણીએ જણાવ્યું હતું કે, દેશના કરોડો લોકો દરરોજ હનુમાનજીની આરાધના કરે છે, પરંતુ જ્યારે રાત્રે બે વાગ્યે મન ભારે હોય ત્યારે મંદિર સુધી પહોંચવું શક્ય નથી. હવે હનુમાનજી માત્ર એક ટચ દૂર છે અને તમારી પોતાની ભાષામાં તમારી વાત સાંભળવા માટે ઉપલબ્ધ છે. હું લોકોને માત્ર એટલું જ કહીશ કે એક વખત તેનો અનુભવ જરૂર કરો.’
