આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ, 28 જુલાઈ સુધી યથાવત રહેશે વરસાદી માહોલ
ગુજરાત પરથી મેઘરાજાનો કૃપા મહેર હજુ ઓછી થવાના એંધાણ નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય માટે ફરી એકવાર મહત્વપૂર્ણ આગાહી કરી છે. આગામી 48 કલાક રાજ્ય માટે ભારે રહેવાની સંભાવના છે, જ્યારે એકંદરે 28 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેને લઈને તંત્ર અને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જોખમ
અંબાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં સત વરસાદને કારણે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
આ પણ વાંચો: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય-દક્ષિણ ગુજરાતની સ્થિતિ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, દ્વારકા, પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
તો બીજી તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
28 જુલાઈ સુધી યથાવત રહેશે વરસાદ
નિષ્ણાતોનું કહેવું છે કે રાજ્યમાં સક્રિય થયેલો આ વરસાદી માહોલ 28 જુલાઈ સુધી યથાવત રહેવાની શક્યતા છે. એટલે કે આવતા 3-4 દિવસ સુધી વરસાદનો દોર ચાલુ રહેશે.
તંત્રની અપીલ
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા જણાવાયું છે. નાગરિકોને સ્થાનિક તંત્ર અને ભારતીય હવામાન વિભાગ IMDની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
