Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

ટ્રેનથી થતા સિંહનાં મૃત્યુ રોકવા AI કેમેરાથી સિંહોના હોટસ્પોટનું થશે નિરીક્ષણ

Sat, July 13 2024
  • ટ્રેનથી થતા સિંહનાં મૃત્યુ રોકવા હાઈકોર્ટ સમક્ષ SOP રજૂ

ગુજરાતમાં 674 સિંહ, AI કેમેરાથી સિંહોના હોટસ્પોટનું થશે નિરીક્ષણ, ગીરમાં રેલવે ટ્રેકને નેરોગેજથી બ્રોડ ગેજમાં બદલાતા પહેલા હાઇકોર્ટની મંજૂરી અનિવાર્ય

અમદાવાદ

ગીરના જંગલમાં ટ્રેન હડફેટે થતા સિંહોનાં મૃત્યુ અંગે ગુજરાત હાઇકોર્ટે ફટકાર લગાવ્યા બાદ વન વિભાગ અને રેલવે વિભાગના અધિકારીઓની બનેલી કમિટીએ એક SOP બનાવીને હાઇકોર્ટ સમક્ષ રજુ કરી છે.

કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 05 વર્ષમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 523 થી વધીને 674 પહોંચી છે. જે 29% નો વધારો સૂચવે છે. SOP ની અંદર ગીરના જંગલોમાં સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી ટ્રેનની સ્પીડ ઘટાડવાની વાત છે, સિહોના કોરીડોરમાં અંડર પાસ બનાવવાની વાત છે, રેલ્વે ટ્રેક કે તેની આજુબાજુમાં દેખાય તો તુરંત પગલાં લેવા માટેનું મિકેનિઝમ ગોઠવવામાં આવ્યું છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ સિહોને બચાવવા માટે કરવામાં આવશે, રેલવે સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે, સમયાંતરે રીવ્યુ મિટીંગ યોજવામાં આવશે, સિંહોના હોટસ્પોટ વિસ્તારોમાં ટ્રેનની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, સિંહોના ટ્રેકરને વોકીટોકી, મોબાઇલ વગેરે સાધનો આપવામાં આવ્યા છે. ફોરેસ્ટ વિભાગનો એક કર્મચારી ડિવિઝનલ રેલવે મેનેજર ની ઓફિસે ઉપસ્થિત રહેશે. સિંહોની વિગતો whatsapp ગ્રુપ દ્વારા શેર કરવામાં આવશે.

જો સિંહનો કોઈ ટ્રેન સાથે અકસ્માત થાય તો સર્કલ લેવલ કમિટી તુરંત તપાસ હાથ ધરશે. સ્પોટ ઉપર અધિકારી જશે તે ચીફ કન્ઝર્વેશન ફોરેસ્ટ ઓફિસરને પ્રાથમિક રિપોર્ટ આપશે. 24 કલાકમાં આ કામગીરી કરવામાં આવશે. બાદમાં ડીટેલ રિપોર્ટ ત્રણ અઠવાડિયાની અંદર આપવામાં આવશે. ઉપરાંત સ્ટેશન માસ્ટર, લોકો પાયલોટ અને સિંહોના ટ્રેકરની સમયાંતરે મિટિંગ મળશે. તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. ગિર વનમાં સિંહો ની ઉપસ્થિતિના હોટસ્પોટ દર્શાવતા 49 સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા છે. પીપાવાવ, રાજુલા, જામનગર ટ્રેકનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. સિંહોને ટ્રેક કરવા કુલ 23 વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે.

રેન્જ લેવલ કમિટી સિંહ કોરિડોરમાં નવા અંડર પાસની શક્યતાઓ શોધીને ત્રણ મહિનામાં જણાવશે. રેલવે ટ્રેક ઉપરની વનસ્પતિઓ દૂર કરાશે જેથી કરીને દૂરથી પણ જો ટ્રેક ઉપર સિહ હોય તો જોઈ શકાય. 86 જગ્યાએ સોલર પાવર આધારિત લાઈટો મૂકવામાં આવી છે, જેની સંખ્યામાં વધારો કરવામાં આવશે. AI કેમેરા દ્વારા હોટસ્પોટ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવશે. ગીર વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેકોની આસપાસ ફેન્સીંગ પણ ચકાસવામાં આવી રહ્યું છે. જ્યારે રીપેરની જરૂર છે ત્યા રીપેરીંગ કરાશે અને નવી ફેંસિંગ પણ નાખવામાં આવશે. જે ટ્રેકને મીટરગેજ થી બ્રોડગેજમાં પરિવર્તિત કરવાનો છે. તેની યોગ્યતા ચકાસ્યા બાદ રાજ્ય અને કેન્દ્રના વાઇલ્ડ લાઇફ બોર્ડની મંજૂરી લેવામાં આવશે.

વન વિભાગે જણાવ્યું હતું કે સિંહોને ટ્રેક કરવા માટે 58 ટ્રેકર કાર્યરત છે. રેલવે વિભાગ તરફથી કહેવામાં આવ્યું હતું કે 20 એપ્રિલના રોજ સિંહ રેલ્વે લાઈન ઉપર બેઠો હતો જેથી આગમચેતી રૂપે ટ્રેન રોકી દેવામાં આવી હતી. જેથી કોર્ટે કટાક્ષમાં કહ્યું હતું કે તમને આ કાર્ય બદલ પદ્મશ્રી આપવો જોઈએ. કોર્ટ મિત્રએ જણાવ્યું હતું કે રેલ્વે પ્રશ્નાવલી ભરાવીને તપાસ કરી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે ભાવનગર DRM અને ચીફ ફોરેસ્ટ કોન્ઝર્વેશનલ ઓફિસર તેમની ફરજો માટે જવાબદાર હોય. જો સમાચાર સંસ્થાઓને અકસ્માતની ખબર પડે તો ઓફિસરો કેમ તેને નિવારવા પગલાં લેતા નથી !

વન વિભાગે જણાવ્યું હતું કે તેમને વર્ષ 2023-24 થી વર્ષ 2033 -34 ના લાયન કોરીડોરના મેપિંગ માટે ગીર મેનેજમેન્ટ પ્લાન બનાવ્યો છે. શેત્રુંજીથી રાજકોટ સુધી લાયન કોરિડોર આવેલ છે. રેલવે વિભાગ દ્વારા તમામ જગ્યાએ મીટરગેજને બ્રોડગેજમાં પરિવર્તિત કરવા સામે કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ પ્રવૃત્તિ હાથ ધરતા પહેલા જે તે વિસ્તારમાં તે અનુકૂળ હશે કે કેમ તેવું રેલ્વે વિચારવું જોઈએ. અધિકારીઓ AC ઓફિસમાં બેસીને મગજનો ઉપયોગ કર્યા વગર કાર્ય કરે છે. કોર્ટે ઓર્ડર કર્યો હતો કે રેલવે વિભાગના સેક્રેટરી અને વન વિભાગના સેક્રેટરી ભેગા મળીને એક હાઈ લેવલ કમિટી બનાવશે જે સિંહોના અસ્કમાતના કારણો, તેના ઉપાય વગેરે બાબતે રીપોર્ટ આપશે.

Tags:

girgujaratgujarat highcourtgujarat newsline

Share Article

Other Articles

Previous

ઈમરાન ખાન અને પત્નીને રાહત ; લગ્ન છેતરપીંડી કેસમાં છુટકારો

Next

સોમનાથ દાદાને ઘેર બેઠાં અર્પણ કરો બિલ્વપત્ર : ફરી એકવાર સેવાનો થયો પ્રારંભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
9 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
10 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
11 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
11 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ગમે તેવા નિવેદન આપીને અમારા પ્રયાસો ઉપર પાણી ન ફેરવો…જુઓ આવું ગીતાબાએ શા માટે કહ્યું…
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવાનો દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાનો આદેશ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
કેન્દ્ર સરકારનો વિજય રાજ્ય સભામાં પણ દિલ્હી સેવા બીલ પાસ વિપક્ષ નો પરાજય
નેશનલ
2 વર્ષ પહેલા
હવે શુક્ર પર ઇસરોએ દોડાવી નજર : ચંદ્ર- સૂર્ય મિશન બાદ વધુ એક ઇતિહાસ રચાશે, ફરી વિશ્વમાં ભારતના ડંકા વાગશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર