યુનિ.કેમ્પસમાં સફાઇ અભિયાન દ્વારા NSUIનો અનોખો વિરોધ
વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડ અને અન્ય વિસ્તારોનો કચરો પોતાની બેગમાં ભર્યો
રાજકોટની Saurashtra Universityમાં સ્વચ્છતા મુદ્દે વિદ્યાર્થીઓએ આજે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. લગભગ એક મહિના પહેલાં યુનિવર્સિટી કેમ્પસમાં વધતી ગંદકી અને અયોગ્ય સ્વચ્છતા વ્યવસ્થાને લઈને સ્વચ્છતા પ્રેમી સંજય કાકડીયા દ્વારા લેખિત આવેદન આપવામાં આવ્યું હતું, છતાં પણ પ્રશાસન દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા.
આ પરિસ્થિતિને પગલે આજે સ્વચ્છતા પ્રેમી સંજય કાકડીયા તથા યુવાનો તેમજ ગજઞઈંના પ્રેસિડેન્ટ ગૌરવ ખીમચડિયા અને તેમની ટીમ સાથે મળી યુનિવર્સિટી કેમ્પસમાં જાતે સફાઈ અભિયાન હાથ ધર્યું. વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડ અને અન્ય વિસ્તારોમાંથી ફેલાયેલો કચરો એકત્રિત કરીને બેગમાં ભરી લીધો.
આ પણ વાંચો: બહુમાળી ભવન ચોક ખાતે આજે શિક્ષકોના ધરણાં
આ કચરાના બેગ સીધા જ VC (ઉત્પલ જોષી)ની ઓફિસમાં લઈ જઈ ટેબલ પર મૂક્યા, જેથી પ્રશાસનને ગ્રાઉન્ડ રિયાલિટીનો અહેસાસ થઈ શકે. આ અનોખા વિરોધ દ્વારા વિદ્યાર્થીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે કેમ્પસમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી પ્રશાસનની છે અને હવે આ બાબતમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટીના ટોયલેટ્સની હાલત અત્યંત ખરાબ છે અને ગ્રાઉન્ડમાં અનેક જગ્યાએ કચરો ફેલાયેલો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.
આ સમગ્ર વિરોધને ધ્યાનમાં લઈને Saurashtra Universityના વાઇસ ચાન્સેલર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે એક અઠવાડિયાની અંદર સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવી તમામ વિસ્તારોને સ્વચ્છ બનાવવામાં આવશે.
તેમજ સંજય કાકડિયા દ્વારા કહેવામા આવ્યું આજે ૨ દિવસમાં Saurashtra Universityના કેમ્પસમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં નહીં આવે, તો યુનિવર્સિટી ગ્રાઉન્ડની અંદર `સ્વચ્છતા મહાયજ્ઞ’ શરૂ કરવામાં આવશે. આ મહાયજ્ઞ વિરોધના પ્રતિકરૂપે યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા ગંદકી સામે જાગૃતિ લાવવામાં આવશે અને પ્રશાસન સામે કડક સંદેશ પાઠવવામાં આવશે.
વધારે માહિતી માટે સંજય કાકડિયા મો.નં.૮૮૪૯૬ ૯૮૭૨૭નો સંપર્ક સાધી શકાશે.
