બંગાળમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 મીએ પેટાચુંટણી
ચુંટણી પંચે કરી જાહેરાત; ફરી એનડીએની સંખ્યા વધી શકે છે
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. મતદાન અને મતદાનની ગણતરી 24 જુલાઈએ થશે. બંગાળની ચૂંટણીમાં ટીએમસીની હાર બાદ, પાર્ટીના ત્રણ રાજ્યસભા સાંસદો સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રોય અને પ્રકાશ ચક બરૈકે રાજીનામું આપ્યું હતું તેમના રાજીનામા બાદ, ચૂંટણી પંચે ખાલી પડેલી બેઠક પર ચૂંટણીની જાહેરાત કરી છે. રાજીનામું આપનારા ત્રણ સાંસદોનો કાર્યકાળ ઓગસ્ટ 2029 સુધી બાકી છે. આમ ફરીવાર એનડીએની બેઠકોમાં વધારો થઈ શકે છે.
20 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલા જ, ચૂંટણી પંચે બંગાળમાં ત્રણ ખાલી પડેલી રાજ્યસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે સમયપત્રક જાહેર કર્યું છે.
આ પણ વાંચો: અડધો કલાક મોતના મુખમાં રહેલા માલધારી યુવકને જીવતો છોડી સિંહણે ચાલતી પકડી
બંગાળમાં ત્રણ બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, અને એક બેઠક સુખેન્દુ શેખર રાયની છે.જેમણે રાજ્યસભા સાંસદ પદેથી રાજીનામું આપ્યું છે. આ બેઠક ૮ જૂનથી ખાલી છે. તેનો કાર્યકાળ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૯ સુધીનો હતો.
બીજા સાંસદ સુષ્મિતા દેવ છે, જેમણે ૧૦ જૂને રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. આ કાર્યક્રમ ૨ એપ્રિલ ૨૦૩૦ સુધીનો હતો.પ્રકાશ ચિક બૈરૈકે ૧૧ જૂને રાજ્યસભા સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમનો કાર્યકાળ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૯ સુધીનો હતો.
બંગાળમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 મીએ પેટાચુંટણી
