જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ અભિનેત્રીઓ સાથે કરવામાં આવી ગંદી માંગણી
તાજેતરમા જ ટીવી એક્ટે્રસ સંચિતા ઉગલેએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંચિતા ડિપ્રેશનમાં હતી. તેના ભાઈએ પણ ખુલાસો કર્યો છે કે કાસ્ટિગ એજન્ટો સંચિતાને હેરાન કરી રહ્યા હતા.
બીજી તરફ, સંચિતાના સુસાઈડ પછી અભિનેત્રી આંચલ ખુરાનાએ પણ ગ્લેમર ઇન્ડસ્ટ્રીના કાળા સત્ય પરથી પડદો ઉઠાવતા કહ્યુ કે, “જો તમે કોઈની સાથે સૂવો નહીં, તો તમને રિપ્લેસ કરી દેવામાં આવે છે.” જોકે, ટીવીની ઘણી અભિનેત્રીઓ પહેલાથી જ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને કોમ્પ્રોમાઈઝને લઈને પોતાનું મૌન તોડી ચૂકી છે.
આ પણ વાંચો: 16 દવાઓ પર સરકારનો તાત્કાલિક પ્રતિબંધ
લવીના ટંડન
`જોધા અકબર’માં રુકૈયા બેગમના પાત્રથી ફેમસ થયેલી લવીના ટંડને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, એક કાસ્ટિગ ડાયરેક્ટરે સાઉથની એક ફિલ્મમા રોલ માટે તેનો સંપર્ક કર્યો હતો. જ્યારે તેણે ફિલ્મના બજેટ વિશે પૂછ્યું, ત્યારે ડાયરેક્ટરે ૫ લાખ રૂપિયાની ઓફર કરી. જોકે, પાછળથી તેણે કહ્યુ કે જો તે “કોમ્પ્રોમાઈઝ” કરવા તૈયાર હોય, તો ફિલ્મનું બજેટ ૭ લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.
દિવ્યાંકા ત્રિપાઠી
એક વાતચીત દરમિયાન દિવ્યાંકાએ જણાવ્યુ હતુ કે, એક સમય એવો હતો જ્યારે તેની પાસે પૈસા નહોતા અને તેના પર ઘણું દબાણ હતુ. તેણે જણાવ્યુ કે તેને એક ઓફર મળી હતી અને તેને કહેવામાં આવ્યું હતુ કે, “તમારે આ ડાયરેક્ટર સાથે રહેવું પડશે અને તમને મોટો બ્રેક મળશે.” એક્ટે્રસે કહ્યુ કે તેની સાથે એવી રીતે વાત કરવામાં આવી જાણે દરેક વ્યક્તિ આવું જ કરી રહી હોય.
મદાલસા શર્મા
`અનુપમા’ ફેમ એક્ટે્રસ મદાલસા શર્માએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, ક્યારેક તમે એવા લોકોને મળો છો જેઓ કદાચ એવી વસ્તુઓમાં વધુ રસ ધરાવતા હોય છે જે આપવા માટે તમે બિલકુલ તૈયાર નથી હોતા. એક્ટે્રસે જણાવ્યુ કે જ્યારે પણ તેને કોઈની હાજરીમાં કે મીટિગ દરમિયાન અનકમ્ફર્ટેબલ લાગ્યું, ત્યારે તે બસ ત્યાંથી ઊભી થઈને ચાલી ગઈ.
સ્નેહા જૈન
`સાથ નિભાના સાથિયા-૨’ની એક્ટે્રસ સ્નેહા જૈને પણ જણાવ્યુ હતુ કે, તેને એક સાઉથ ફિલ્મની ઓફર મળી હતી અને ડાયરેક્ટર-પ્રોડ્યુસરને મળવા માટે તેને હૈદરાબાદ જવું પડ્યું હતુ. બાદમાં તેને કહેવામાં આવ્યું કે તેણે કોમ્પ્રોમાઈઝ કરવું પડશે અને કોન્ટે્રક્ટ સાઈન કર્યા પછી ડાયરેક્ટર સાથે સમય વિતાવવો પડશે અને તેઓ જે પણ કહે તે કરવું પડશે.
કિશ્વર મર્ચન્ટ
ઘણા ટીવી શોનો હિસ્સો રહી ચૂકેલી કિશ્વરે જણાવ્યુ હતુ કે, એકવાર તેને એક હીરો સાથે સૂવા માટે કહેવામાં આવ્યું હતુ. એક્ટે્રસે એવું કરવાની સાફ ના પાડી દીધી અને તે મીટિગ છોડીને બહાર નીકળી ગઈ હતી.
આરાધના શર્મા
`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને `સ્પ્લિટ્સવિલા’ જેવા શોનો હિસ્સો રહી ચૂકેલી આરાધના શર્માએ પોતાની સાથે બનેલી એક ડરામણી ઘટના વિશે જણાવ્યુ જણાવ્યુ કે તે એક રોલના સિલસિલામાં રાંચી ગઈ હતી અને સ્ક્રિપ્ટ રીડિગ દરમિયાન તેને ખોટી રીતે સ્પર્શ કરાયો હતો. તેણે તે માણસને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગઈ હતી.
જેસ્મિન ભસીન
બિગ બોસ ૧૪ ફેમ જેસ્મિન ભસીને પણ કહ્યુ હતુ કે, એક ડાયરેક્ટરે તેની સાથે હદ વટાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેસ્મિને જણાવ્યું, “હું મીટિગ માટે ગઈ હતી, સૌથી પહેલા તો હું એક માણસને ડ્રિક કરતા અને મને ઓડિશન આપવાનું કહેતા જોઈને ડરી ગઈ, અને કો-ઓર્ડિનેટર પણ રૂમમાંથી ચાલ્યો ગયો. તેથી મેં તેને કહ્યું, `સર, ઠીક છે, હું સીન તૈયાર કરી લઈશ અને કાલે પાછી આવીશ.’ તેણે કહ્યું, `ના, ના, તારે અત્યારે જ કરવું પડશે’ એટલે મેં કર્યું.” તેણે આગળ જણાવ્યું, “તેણે મને કહ્યું, ‘ના, એમ નહીં.’ મેં બીજી રીતે કર્યું, તો તેણે કહ્યું, `ના, એમ પણ નહીં.’ તારે કરવું પડશે… તેણે મને બંધ કરી દીધી અને તે કંઈક બીજું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરતુ મેં મારી સમજદારી વાપરી અને ત્યાંથી ભાગી ગઈ.”
