નીટ યુજી અંગે સુપ્રીમ કોર્ટમાં હવે ક્યારે સુનાવણી ? જુઓ
નીટ યુજી પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે થનારી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. . હવે આગામી સુનાવણી 18 જુલાઈએ થશે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ દ્વારા 8 જુલાઈના રોજ આ સંબંધમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલામાં આગામી સુનાવણી ગુરુવારે થવાની હતી પરંતુ સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. સીબીઆઇ સરકાર અને એનટીએ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પોતાના જવાબ દાખલ થયા છે.
સીબીઆઈએ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટને પોતાનો અહેવાલ સોંપ્યો હતો અને તેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ફક્ત કેટલાક સેન્ટરો સુધી જ લીક પેપર સીમિત રહ્યું હતું. સોશ્યલ મીડિયા પર તે સર્ક્યુલેટ થયું નથી. કેન્દ્ર સરકારે પણ એફિડેવિટ બુધવારે દાખલ કરી હતી.
છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એનટીએ , સરકાર, સીબીઆઇ અને વિદ્યાર્થીઓ પાસેથી આ મામલે કેટલાક સવાલોના જવાબ માંગ્યા હતા. ચારેય તરફથી જવાબ દાખલ કરાયા બાદ આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. તમને જણાવી દઈએ કે લગભગ 24 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આવી સ્થિતિમાં, દરેકની નજર આ પરીક્ષા અને પરિણામ પરની સુનાવણી પર ટકેલી છે. હવે આજે થનારી સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.
કેન્દ્ર સરકારે આનો જવાબ આપ્યો છે
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા તેના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે તે પરીક્ષા ફરીથી યોજવાના પક્ષમાં નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલા સોગંદનામામાં કહ્યું છે કે તે નક્કી કરી રહી છે કે 23 લાખ ઉમેદવારો પર ‘અનવેરિફાઇડ આશંકાઓ’ના આધારે ફરીથી પરીક્ષાનો બોજ લાદવામાં ન આવે.
એનટીએએ પણ પોતાનો જવાબ દાખલ કર્યો છે
એનટીએએ પણ સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. પોતાના સોગંદનામામાં કહ્યું છે કે પટનામાં કથિત પેપર લીક કેસમાં સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની સાથે સીબીઆઈ પણ આ કેસની તપાસ કરી રહી છે. આ સિવાય એફિડેવિટમાં જવાબ પણ આપ્યો છે કે મેરિટ લિસ્ટમાં 720માંથી 720 માર્કસ કેવી રીતે 61 વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા.