Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

લોકસભામાં રાહુલ ગાંધીએ શું કહ્યું ? કઈ વાતો પર થઈ બબાલ ? જુઓ

Mon, July 29 2024

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં સોમવારે બજેટ પરની ચર્ચામાં ભાગ લઈને ભાષણ આપ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે દેશના યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ અને મહિલાઓને અભિમન્યુ જેવા કમળ આકારના ચક્રવ્યૂહમાં ફસાવ્યા છે. એમણે કહ્યું કે સત્તાધારી પક્ષ ચક્રવ્યૂહ બનાવે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ આ ચક્રવ્યૂહને તોડી નાખે છે.
રાહુલે પેપર લીકનો મુદ્દો તથા ખેડૂતોની એમએસપી અને યુવાઓની બેરોજગારીના મુદ્દા ઉઠાવ્યા હતા. ટેક્સ ટેરરિઝમના આરોપ સાથે પછાત, દલિત વર્ગ અને યુવાઓને બજેટમાં કશું અપાયું નથી તેમ કહીને એવો આરોપ મૂક્યો હતો કે વડાપ્રધાને કોરોનાકાળમાં મિડલ ક્લાસ પાસે થાળી વગાડાવી હતી અને બજેટમાં આ વર્ગની છાતીમાં છરો ભોંકી દીધો છે. દેશમાં આજે ડરનો માહોલ છે. હિંસા અને નફરત દેશની પ્રકૃતિ નથી.

સોમવારે બપોરે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને બજેટ પર ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું. રાહુલ ગાંધીએ તેમના છેલ્લા ભાષણમાં ભગવાન શિવ અને અહિંસાનો ઉલ્લેખ કર્યો હતો. આ વખતે તેમણે મહાભારતના યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું- “હજારો વર્ષ પહેલાં હરિયાણાના કુરુક્ષેત્રમાં એક યુવકને 6 યોદ્ધાઓએ ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખ્યો હતો. ચક્રવ્યુહમાં ભય અને હિંસા છે. આ ભય અને હિંસામાં ફસાઈને એક યુવાન યોદ્ધાનું મૃત્યુ થયું હતું.”

એમણે કહ્યું કે ચક્રવ્યુહનું બીજું નામ ‘પદ્મવ્યુહ’ છે. ચક્રવ્યુહની રચના કમળના ફૂલ જેવી હોવાથી તેને પદ્મવ્યુહ પણ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે 21મી સદીમાં એક નવું ચક્રવ્યુહ તૈયાર થયું છે. અને તે પણ કમળના આકારમાં છે. રાહુલે કહ્યું કે મહાભારતના યુદ્ધમાં જે રીતે અભિમન્યુ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો, આજે તે જ રીતે દેશના લોકો ફસાયા છે. દેશના યુવાનો સાથે, ખેડૂતો સાથે, નાના અને મધ્યમ ઉદ્યોગો સાથે અન્યાય છે. અમારી માતાઓ અને બહેનોમાં ડર ફેલાયો છે. નાના વેપારીઓ ટેક્સ ટેરરીઝમમાં ફસાયા છે. બજેટમાં યુવાઓ માટે કઈ અપાયું નથી. પછાત અને દલિતો માટે કાઇ આપ્યું નથી. એમણે ચેલેન્જ કરી હતી કે અમે જાતિ જનગણના કરાવશું અને એમએસપી પણ આપશુ.

રાહુલ ગાંધીએ કહ્યું કે અભિમન્યુની હત્યા છ લોકોએ કરી હતી. આજે પણ ચક્રવ્યુહના કેન્દ્રમાં માત્ર છ લોકો જ છે. જેમ મહાભારતના સમયમાં ચક્રવ્યુહને છ લોકો નિયંત્રિત કરતા હતા, આજે પણ છ લોકો જ તેને નિયંત્રિત કરી રહ્યા છે.
ઓમ બિરલાએ નિયમ બતાવ્યો
રાહુલે આ છ લોકોમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી, મોહન ભાગવત, ડોભાલ અને અદાણી , અંબાણીના નામ લીધા હતા. આટલું બોલતાની સાથે જ શોરબકોર થયો. આના પર અધ્યક્ષ ઓમ બિરલાએ બધાને શાંત કર્યા અને કહ્યું- “માનનીય સભ્ય, તમે બંધારણીય પદ પર છો. અને ઘણા સભ્યોએ મને લેખિતમાં જણાવ્યું છે કે જેઓ ગૃહના સભ્ય નથી, તેમના નામનો ઉલ્લેખ ન કરવો. તેમણે કહ્યું કે હું અપેક્ષા રાખું છું કે વિરોધ પક્ષના નેતા ગૃહના નિયમો અને સરંજામનું પાલન કરે.
અગ્નિવીરો સાથે અન્યાય
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અગ્નિપથના ચક્રવ્યૂહમાં સેનાના જવાનો ફસાયા છે. બજેટમાં અગ્નિવીર જવાનોને પેન્શન માટે પૈસા આપવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે અન્નદાતાએ તમારા ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માટે તમારી પાસેથી એક જ વાત માંગી છે કે તમે MSPની કાયદેસર ગેરંટી આપો, પરંતુ તે આપવામાં આવી નથી.

રાજનાથ સિંઘે રાહુલની વાત કાપી

રાજનાથ સિંઘે રાહુલના આ વિધાન સામે વાંધો લઈને કહ્યું હતું કે દેશની રક્ષાની જવાબદારી જેમના માથે છે તે સેના વિષે ખોટી વાત કરવી જોઈએ નહીં. આ સંવેદનશીલ વાત છે. વિપક્ષના નેતા ભ્રમ ફેલાવી રહ્યા છે.

રિજીજુએ પણ રાહુલને નિયમ બતાવ્યો
રાહુલે ભાષણમાં સરકાર પર પ્રહાર કરવા સાથે અદાણી અને અંબાણીના નામ લીધા ત્યારે સ્પીકરે એમને રોક્યા તો રાહુલે એવો જવાબ આપ્યો હતો કે મને ટેકનિકલ વાતોની ખબર નથી. તરત જ કાયદા મંત્રી રિજીજુએ ઊભા થઈને કહ્યું હતું કે વિપક્ષના નેતાને નિયમોની જ ખબર નથી તે કમનસીબી છે.

Share Article

Other Articles

Previous

જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ભંગારની દુકાનમાં વિસ્ફોટ થતાં 4 લોકોના મોત, તપાસ શરૂ

Next

રાજકોટના યુવક સાથે લોન પર લીધેલો ટ્રક વેચવા મામલે રૂ.11.17 લાખની છેતરપિંડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
CBSEનો મોટો છબરડોધોરણ-૧૨ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલાઈ ગઇ
5 કલાક પહેલા
`અતુલ્યમ બ્લોક’ના નુકસાન માટે ટાટા એરલાઇન્સ રૂા.૫૩.૧૨ કરોડનું વળતર આપશે
5 કલાક પહેલા
રિક્ષાચાલકની સજાગતા, પોલીસની દોડધામને કારણે ૧૩ વર્ષનો ગૂમ બાળક મળી ગયો
5 કલાક પહેલા
વાપી પાસે ભંગારના ગોડાઉનમાંથી કરોડોની કિંમતનું મેફેડ્રોન પકડાયું
9 કલાક પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

રાજસ્થાનના બે શહેરોમાં ભારે ટેન્શન, હંગામો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભાજપે દીલ્હીમાં આપના એમએલએંને શું કરી ઓફર ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
તિરુપતિ પ્રસાદ વિવાદમાં SIT કરશે સ્વતંત્ર તપાસ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આસારામને કોઈ રાહત નહી…વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર