રાજકોટ : આજે ઉતરાયણ પર સિવિલ હોસ્પિટલમાં 12 તબીબોની ટીમ ખડેપગે
ઇએનટી,સર્જરી,ઓર્થોપેડિક અને વધારાના નર્સિંગ સ્ટાફને ફરજ પર રખાયા : પંતગ દોરીથી ઇજા પહોંચનારને સારવાર આપવા અલગ વોર્ડ ઊભો કરાયો
આજે ઉતરાયણના પર્વ પર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જવાનો છે.અને પતંગરસિકો સવાથી જ ધાબા પર પતંગ ચગાવવા માટે કહી જશે.ત્યારે આ ઉત્સવમાં અનેક દુર્ઘટનાઓ પણ સામે આવતી હોય છે. અને ઈમરજન્સી કેસોમાં વધારો થાય છે. જેથી ઉતરાયણના તહેવારમાં અકસ્માતના વધતા બનાવોને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલમાં ઇએનટી અને ઓર્થોપેડીક વિભાગોમાં 12થી વધુ સર્જન અને નર્સિંગ સ્ટાફની ટીમ તૈનાત રાખવામા આવી છે.
![](https://voiceofdaynews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2024-12-12-at-4.58.18-PM-700x930-7.jpeg)
ઉતરાયણના તહેવારમાં પતંગની દોરીથી ગળામાં ઈજા થવાના અને ધાબા ઉપરથી પડી જવાના કેસો વધુ નોંધાતા હોય છે. દર વર્ષે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૪ જાન્યુઆરીના દિવસે 50થી વધુ કેસો નોંધાતા હોય છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સજ્જ બન્યુ છે. વહિવટી તંત્ર દ્વારા ઉતરાયણના દિવસે આવતા કેસોને પહોંચી વળવા ખાસ વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઇએનટી તબીબ-૨, સર્જરી તબીબ-૨, ઓર્થોપેડિક સર્જન-૨ અને વધારાના નર્સિંગ સ્ટાફ મળી કુલ 12 તબીબોની ટીમોને ખડેપગે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જો વધુ કેસો નોંધાશે અને જરૂર પડશે તો વધારાના સ્ટાફને પણ બોલાવામા આવશે તેવું મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું.