હું ઓન રેકોર્ડ કહેવા માગુ છું કે…પરેશ રાવેલે મૌન તોડ્યું, Hera Pheri 3 છોડ્યા બાદ કર્યો ખુલાસો
ફિલ્મ નિર્માતા પ્રિયદર્શને તાજેતરમાં જ તેની આઇકોનિક ફ્રેન્ચાઇઝી ‘હેરા ફેરી’ની ત્રીજા પાર્ટ જાહેરાત કરી હતી. આ પુષ્ટિ પછી, ચાહકો તેમના મનપસંદ પાત્રોને ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવતા જોવા માટે ઉત્સાહિત હતા. ત્યારે પરેશ રાવલે ફેન્સને ઝટકો આપ્યો છે. બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ હેરાફેરી 3 નો ભાગ નહીં હોય. આ હિટ કોમેડી ફિલ્મ ફ્રેન્ચાઇઝમાં ‘બાબુ ભૈયા’ ના હોવાના સમાચારથી ચાહકો ખૂબ જ દુઃખી છે. હવે પરેશ રાવલે ફિલ્મનો ભાગ ન બનવા અંગે ટ્વિટ કર્યું છે.
પરેશ રાવલે કર્યો ખુલાસો
I wish to put it on record that my decision to step away from Hera Pheri 3 was not due to creative differences. I REITERATE THAT THERE ARE NO CREATIVE DISAGREEMENT WITH THE FILM MAKER . I hold immense love, respect, and faith in Mr. Priyadarshan the film director.
— Paresh Rawal (@SirPareshRawal) May 18, 2025
ફિલ્મ છોડવાના પોતાના નિર્ણયનો ખુલાસો કરતા, પરેશ રાવલે રવિવારે સવારે એક ટ્વીટ શેર કર્યું જેમાં તેમણે લખ્યું, “હું એ વાત રેકોર્ડ પર રાખવા માંગુ છું કે ‘હેરા ફેરી 3’ છોડવાનો મારો નિર્ણય સર્જનાત્મક મતભેદોને કારણે નહોતો. હું પુનરાવર્તિત કરું છું કે ફિલ્મ નિર્માતા સાથે કોઈ ક્રિએટિવ ડીસએગ્રીમેન્ટ નથી. મને ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન પ્રત્યે પ્રેમ અને આદર છે.” હાલમાં, એ સ્પષ્ટ થઈ ગયું છે કે અભિનેતાએ ક્રિએટિવ ડીસએગ્રીમેન્ટને કારણે ફિલ્મ છોડી નથી, પરંતુ હજુ સુધી તેમણે સાચું કારણ જાહેર કર્યું નથી. જોકે, અભિનેતાએ લલ્લન્ટોપ સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે આ પાત્ર તેના ગળામાં ફાંસો બની ગયું છે અને તે તેનાથી છૂટકારો મેળવવા માંગે છે.
સોશિયલ મીડિયા યુઝર્સે શું કહ્યું?
પરેશ રાવલના આ ટ્વિટ પર ઘણા ચાહકોએ ટિપ્પણી કરી છે. એક યુઝરે લખ્યું – યાર બાબુ ભૈયા આવું ન કરો, બાળપણની શ્રેષ્ઠ યાદોને કેમ ડાઉનગ્રેડ કરી રહ્યા છો. બીજા એક યુઝરે લખ્યું, “સાહેબ, હું મારી નસો કાપી નાખીશ. તમારો નિર્ણય પાછો લો.” જો તમને વધુ પૈસાની જરૂર હોય તો અમે હેરાફેરી ફેન ક્લબને ક્રાઉડસોર્સ કરીશું. તે જ સમયે, ત્રીજા યુઝરે પરેશ રાવલને ફિલ્મ છોડવાનું કારણ પૂછ્યું છે.