યુપી સરકારથી કઈ બાબતે સુપ્રીમ કોર્ટ થઈ નારાજ ? શું કહ્યું ? વાંચો
દેશની સર્વોચ્ચ અદાલતે એક કેસની સુનાવણી વખતે મોટી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રયાગરાજમાં મકાનોના “મનસ્વી” રીતે તોડી પાડવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કાર્યવાહીથી તેમનો અંતરાત્મા સ્તબ્ધ થઈ ગયો છે. જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુઇયાની બેન્ચે નોટિસ જાહેર કર્યાના 24 કલાકની અંદર મકાનો તોડી પાડવા અને પીડિતોને અપીલ કરવા માટે સમય ન આપવા બદલ પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે અરેજદારોને ફરીથી ઘર બાંધવાની અનુમતિ અપાશે પણ તેના માટે એમણે અપીલ કરવી પડશે. ત્યાં સુધી આ મામલો પેન્ડિંગ રહેશે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, આપણા અંતરાત્માને હચમચાવી નાખે છે કે રહેણાંક સંકુલને મનસ્વી રીતે કેવી રીતે તોડી પાડવામાં આવ્યા. આ આખી પ્રક્રિયા જે રીતે હાથ ધરવામાં આવી તે ચોંકાવનારી છે. અદાલતો આવી પ્રક્રિયા સહન કરી શકે નહીં. જો આપણે એક કિસ્સામાં તેને સહન કરીશું, તો તે ચાલુ રહેશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ અરજદારોને તોડી પાડવામાં આવેલા મકાનો ફરીથી બનાવવાની મંજૂરી આપશે, જો તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં અપીલ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરે.
એટર્ની જનરલ આર વેંકટરામણીએ રાજ્યની કાર્યવાહીનો બચાવ કર્યો હતો ખાતરી આપી હતી કે નોટિસ બજાવવામાં પૂરતી “યોગ્ય પ્રક્રિયા”નું પાલન કરવામાં આવ્યું હતું. મોટા પાયે ગેરકાયદેસર અતિક્રમણ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર માટે અનધિકૃત અતિક્રમણને નિયંત્રિત કરવું મુશ્કેલ હતું.