આતીશીનો ભાજપ પર આરોપ ; સત્યાગ્રહ સ્થળ પર હુમલો થયો
ગાંધીજીના માર્ગે આંદોલન થઈ રહ્યું છે અને તે ચાલુ જ રહેશે
દિલ્હીના જળ મંત્રી આતિશી શુક્રવાર 21 જૂન)થી ઉપવાસ પર છે. તેમણે હરિયાણા સરકાર પાસે દિલ્હીના લોકોને તેમના હક મુજબ પાણી આપવાની માંગ સાથે ‘પાણી સત્યાગ્રહ’ શરૂ કર્યો છે. દરમિયાન, શનિવારે આતિશીએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક લોકો તેના સત્યાગ્રહ સ્થળ પર હુમલો કરવા આવ્યા હતા. આતિશીએ કહ્યું કે તે કોઈનાથી ડરતી નથી અને તેના ઉપવાસ ચાલુ રાખશે.
આતિશીએ એક વીડિયો સંદેશ જાહેર કરતા કહ્યું કે, દિલ્હીમાં પાણીની ભારે અછત છે. દિલ્હીમાં 28 લાખ લોકોને પાણી નથી મળી રહ્યું. 28 લાખ લોકોને પાણી આપવા માટે હું અચોક્કસ મુદતના ઉપવાસ પર છું. કેટલાક લોકોએ સ્થળ પર આવીને હંગામો મચાવ્યો હતો અને મારા પર હુમલો કર્યો હતો.
મારા ઉપવાસ ચાલુ રહેશે
આતિશીએ કહ્યું, “પરંતુ હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે હું ગાંધીજી દ્વારા શીખવેલા સત્યાગ્રહના માર્ગને અનુસરી રહી છું.. હું આવી બાબતોથી ડરતી નથી અને સત્યાગ્રહ બંધ કરવાની પણ નથી. જ્યાં સુધી દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રહેશે.