Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

વાંકાનેરના કેરાળા ગામે આવેલું છે 265 વર્ષ જૂનું નકલંકધામ મંદિર

Mon, July 29 2024

રાણીમાં-રુડીમાંએ આ સ્થળે કરી હતી ભક્તિ સાથે સેવા: અષાઢી બીજે થાય છે ભજન-ભક્તિના કાર્યક્રમોનું આયોજન: આજે પણ કાષ્ટ સ્તંભ પર ફરકે છે ધર્મની ધજા

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક કેરાળા ગામે નકલંકધામ મંદિર આવેલું છે. વર્ષો જૂનું આ મંદિર આસપાસના શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે. અહી શ્રી રાણીમાં, રુડીમાંના ઠાકરનું ભવ્ય મંદિર આવેલું છે. આ કલાત્મક મંદિર 50 ફૂટ લાંબુ, 40 ફૂટ પહોળું છે. જ્યારે અહી રાણીમાં-રુડીમાંનું પણ મંદિર આવેલું છે. દર અષાઢી બીજે અહી મેળા જેવુ વાતાવરણ સર્જાય છે. આ મંદિર 265 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.

સૌરાષ્ટ્રના તીર્થધામમાં કેરાળા નકલંકધામ આજે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સ્થાન બન્યું છે. જાણવા મળતી મહિતી મુજબ વર્ષો પહેલા આ મંદિરના જીર્ણોદ્ધારનો પાયો દાદુભગતે વર્ષ 1992માં નાખ્યો હતો. તેમના અવસાન બાદ ભવાન ભગતે 2002માં હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું હતું. આ ત્રી-દિવસીય શ્રી નકલંક મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 51 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ યોજાયો હતો. મંદિરની બાજુમાં જ બવાન ગજનો કાષ્ટનો સ્તંભ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં આજે પણ ધર્મની ધજા ફરકે છે.

મંદિરની સેવા-પૂજા કરતાં અહીંયા લઘુ મહંત દિશાંત ભગતે જણાવ્યું હતું કે, આ ગેબીનાથના 19 પંજાની એક જગ્યા અને પાંચાળભૂમિના પીરાણાની જગ્યા કહેવાય છે. દર વર્ષે અષાઢી બીજે અહી ભોજન, ભજન અને સંતવાણીના કાર્યક્રમો થાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. લૂણસરિયામાં જન્મેલા રાણીમાં-રુડીમાં નાનપણથી જ ભગવાનની ભક્તિ કરતાં હતા. હાલ જે જગ્યા છે ત્યા પહેલા ખાખી સાધુના ધૂણા હતા. અહી બંને બહેનોએ ખૂબ સેવા કરી હતી. તેઓ જ્યારે રાજકોટ આવ્યા ત્યારે તે સમયના રાજાએ રાણીમાં રુડીમાંને તેમના રાજમાંથી જવાની ના કહી અને કહ્યું કે, હું તમને મંદિર બનાવી આપું અને ગાયુના ચારા માટે જમીન પણ આપું. આજે પણ રાજકોટમાં આ મંદિર આવેલું છે.

કેરાળા ગામના પાદરમાંથી મચ્છુ નદી વહે છે. જ્યાં બાજુમાં રાણીમાં-રુડીમાંનું મંદિર છે. ઇતિહાસ પ્રમાણે લૂણસરિયા ગામે રતના ભગત અને વીરા ભગત બંને ભાઈઓ ધર્મ વત્સલ્ય અને ભક્તિસભર જીવન જીવી રહ્યા હતા. રતના ભગતને સંતાનમાં 1742માં રૂડીમાંનો જન્મ થયો જ્યારે 1744માં રાણીમાંનો જન્મ થયો. તેઓ મચ્છુ નદીના કિનારે ગાયો ચરાવતા અને કાળમીંઢ પથ્થરો વચ્ચે કાળિયા ઠાકોરની ભક્તિ કરતાં હતા. એક દિવસ વાંકાનેરના રાજા સાથે કોઈ વિવાદ થતાં રાણીમાં-રુડીમાં પોતાના ઠાકોરજીને સાથે લઈ રાજકોટ પહોંચ્યા અને ત્યાં વિસામો લે છે. આજે પણ રાજકોટમાં વિસામો આવેલો છે અને રાણીમાં-રુડીમાં વિસામાં તરીકે મંદિર ખૂબ જ જાણીતું છે.

અહી મંદિરમાં ચાંદીના સિંહાસનમાં બિરાજતા શ્રીરામ, લક્ષ્મણ, જાનકી, કૌશલ્યાજી, ઊર્મિલાજી, શાલિગ્રામ અને નકલંક ભગવાનના ઘોડાની નિત્ય સૂર્યોદય અને સાંજે સંગીતના તાલે આરતી થાય છે. જ્યારે કલાત્મક કાચના ટુકડાઓથી મંદિરના ગુંબજમાં ઠાકરોજીની ડિઝાઇન મનમોહક છે. અહી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. મંદિરમાં પ્રવેશતા જ આધ્યાત્મિક શાંતિનો લોકોને અનુભવ થાય છે. શિખરબધ્ધ મંદિર કલાત્મકતાથી પણ ભરપૂર છે.

તીર્થધામ બન્યું છે આજે આ મંદિર

કેરાળા ગામે આવેલા નકલંકધામ મંદિરનો ધીમે ધીમે વિકાસ થયો અને આજે અહી મંદિર ઉપરાંત ભવ્ય ભોજનશાળા પણ બનાવવામાં આવી છે. અહી રાણીમાં રુડીમાંના ઠાકર બિરાજતા હોય અહી ભોજન તેમજ ભજનને આવકાર આપે છે. મંદિરના વિકાસ સાથે ભોજનશાળા પણ બનાવવામાં આવી છે. જ્યારે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે.  

Share Article

Other Articles

Previous

મનપાનાલોકદરબાર’ પછી વોર્ડ નં.૧ અને ૩ એવા ને એવા…!

Next

મનપાએ અમારી જાણ બહાર જમીન આપી દીધી: કમલ ડોડિયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
3 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
3 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
3 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

દેશમાં શાક ભાજીના ભાવ ક્યાં પહોંચ્યા ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
મણીપુરમાં બે દિવસમાં બે પોલીસ જવાન શહીદ, 3ને ઈજા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
ગુજરાત
2 મહિના પહેલા
12 ડિસેમ્બરથી વેરાવળ-સુરત વચ્ચે સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેન
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર