Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

નીલકંઠવર્ણીનું અપમાન થતા ક્રોધિત હનુમાનજીએ બાવાઓને ધોકાવ્યા હતા

Sun, September 3 2023

સ્વામિનારાયણ સંલગ્ન સાહિત્યમાં વર્ણવવામાં આવેલા પ્રસંગો

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને દાસ ગણાવતા ભિંતચિત્રના વિરોધ વચ્ચે હવે સ્વામિનારાયણ સંપ્રદાય સંલગ્ન સાહિત્યમાં વર્ણવવામાં આવેલી હિન્દુ દેવી-દેવતાઓની કથાઓનો વિવાદ પણ ચાલુ થયો છે. નીલકંઠ ચરિત્ર નામના પુસ્તકમાં એક પ્રસંગ છે તે મુજબ પરિભ્રમણ દરમિયાન નીલકંઠ એક ગામના રામજી મંદિરમાં ગયા ત્યારે ત્યાં સ્ત્રીઓ અને પુરુષો સાથે બેસીને રામાયણની કથા સાંભળતા હતા. કથા પૂર્ણ થયા બાદ કેટલીક મહિલાઓ ચરણસ્પર્શ કરવા આવતા નીલકંઠવર્ણી બાજુના ઓરડામાં ચાલ્યા ગયા હતા. તે પછી કેટલીક સ્ત્રીઓ બાવાના હાથ પગ દબાવવા લાગ્યા હતા. એ દ્રશ્ય જોયા બાદ નીલકંઠે બાવાઓને ઠપકો આપ્યો હતો કે તમે રામાયણની કથા કરો છો પણ ધર્મનું પાલન કેમ નથી કરતા? સાધુથી સ્ત્રીઓને ઉપદેશ ન કરાય,સાધુએ સ્ત્રીઓ અને ધનનો ત્યાગ કરવો જોઈએ.


તેમનો આ ઠપકો સાંભળી ગુસ્સે થયેલા બાવાજીએ તેમને ત્યાંથી ભાગી જવા અને નહિતર મારી નાખવાની ધમકી આપી હતી. એ ધમકી સાંભળીને નીલકંઠ અદ્રશ્ય થઈ ગયા. ઓરડાનું બારણું બંધ હોવા છતાં નીલકંઠ કઈ રીતે અદ્રશ્ય થઈ ગયા તેનુ બાવાઓને આશ્ચર્ય થયું. બાદમાં મંદિરની સામે આવેલ વાણિયાના મકાનની ઓસરીમાં નીલકંઠ બેઠા હતા ત્યારે હનુમાનજી
ત્યાં આવ્યા. બાવાઓએ નીલકંઠ ને અપમાનિત કરી અને કાઢી મૂક્યા હોવાની જાણ થતા ગુસ્સે થયેલા હનુમાનજી નીલકંઠ ને પગે લાગી અને મંદિરમાં ગયા અને બાવાઓ તથા તેમની ચેલકીઓને ધોકે ધોકે મારવા લાગ્યા. હનુમાનજીએ બાવાઓના હાડકા ખોખરા કરી નાખ્યા. બાવાઓએ પૂછ્યું કે તમે કોણ છો અને અમને વગર વાંકે મારો છો શું કામ? જવાબમાં હનુમાનજીએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું કે નીલકંઠ બ્રહ્મચારી તો સાક્ષાત ભગવાન છે. તેમને તમે રામચંદ્રજીના મંદિરમાંથી કાઢી કેમ મૂક્યા? જાઓ, તેમને પગે પડીને માફી માગો અને માનપાન સાથે ફરીથી મંદિરમાં પધરાવો નહિતર આજે તમને બધાને પૂરા કરી નાખીશ. એ પછી બાવાઓ નીલકંઠને પગે લાગ્યા અને કહ્યું કે અમે તમને ઓળખી ન શક્યા. તમે તો સાક્ષાત રામચંદ્રજીનો અવતાર છો. અમે આજથી સ્ત્રીને ઉપદેશ નહીં આપીએ અને તમે કહેશો એમ કરીશું પણ અમને આ સેવક હનુમાનજી પાસેથી છોડાવો. આ સાંભળીને નીલકંઠે બાવાઓને માફ કર્યા અને હનુમાનજીને ઈશારો કરી આકાશ માર્ગે વિદાય કર્યા.

બ્રહ્મા વિષ્ણુ મહેશ સૂર્ય ચંદ્ર બધા જ નીલકંઠ ને પૂજતા

સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંલગ્ન પુસ્તકોમાં અનેક કથાઓ છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી એ ત્રણેય દેવ ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવતા અને તેમનું સ્તુતિ ગાન કરતા તેવા ઉલ્લેખ છે. શિવજી છપૈયાની ભૂમિ ઉપર આળોટિયા હતા. બ્રહ્માજીએ એક વખત સાષ્ટાંગ દડવંત પ્રણામ કરી અને સ્વામીની માફી માગી હતી તેવી પણ એક વાર્તા છે. સ્વામીની બાળલીલા જોવા માટે લક્ષ્મીજી આવ્યા હતા અને મહારાજને પગે લાગ્યા હતા. સૂર્યનારાયણએ પોતાને પ્રકાશ શ્રીજી મહારાજની ઉપાસનાને કારણે મળ્યો હોવાનું કહ્યું હતું. ચંદ્રએ રોહિણી અને 27 પત્નીઓ સાથે આવી અને બાળ પ્રભુનું પૂજન કર્યું હતું. આવા અનેક પ્રસંગો આ પુસ્તકોમાં વાચવા મળે છે.

Share Article

Other Articles

Previous

સંતોની શરણાગતિ : વિવાદી ભીંતચિત્રો હટાવી લેવા સહમત

Next

રાજકોટમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ ની પેટા કંપની ના લોન્ચિંગમાં હાજરી જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
હોર્મુઝમાં ભારતીય ખલાસીઓને ન મોકલવા શિપિંગ કંપનીઓને આદેશ
7 કલાક પહેલા
વાંગચૂકને બચાવવા જરૂરી હોય એ બધા જ પગલાં લેવા દિલ્હી હાઇકોર્ટની સૂચના
7 કલાક પહેલા
રઘુરામ રાજનના અમેરિકામાં ડંકા: સરકારે ફુગાવો કાબૂમાં રાખવાની જવાબદારી સોંપી
7 કલાક પહેલા
ગતિમાપક યંત્ર ગોઠવી રહેલા ટ્રાફિક પોલીસનું જ બેફામ કાર અડફેટે મોત
7 કલાક પહેલા
Categories

નેશનલ

3277 Posts

Related Posts

તા.7 જુલાઈ સોમવારે રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેશે,પોસ્ટલ સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર:ડેટા માઈગ્રેશન અને નવી સિસ્ટમ કાર્યરત કરવા પોસ્ટલ કામગીરીને બ્રેક
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પોરબંદરના દરિયામાં કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ : એક ક્રૂ મેમ્બરને બચાવી લેવાયો, ત્રણની શોધખોળ
ગુજરાત
2 વર્ષ પહેલા
અમદાવાદની 23 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, તંત્ર દોડતું થયું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ભારત અને અમેરિકા વચ્ચે શું વાટાઘાટ થશે ? કોણ આવે છે ભારત ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર