ઓસ્ટ્રેલિયા જઇ રહેલા 4 ગુજરાતીઓનું ઇરાનમાં અપહરણ : નગ્ન કરી માર મારી ખંડણી માંગી, સરકારની મદદથી પહોંચ્યા ભારત
અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં ભારતીયો વિરુદ્ધ નફરત વચ્ચે હવે ઇરાનમાં પણ આવી હરકતો થઈ રહી છે અને ગુજરાતથી દિલ્હી થઈને ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા ચાર ગુજરાતીઓના અપહરણની ઘટના સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. એક મહિલા અને ત્રણ પુરુષોને તહેરાનમાં કિડનેપ કરીને બંધક બનાવી લેવામાં આવ્યા હતા.ત્યારે હવે ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ અંતે સરકારની મદદથી મુક્ત થયા છે ભારત આવવા રવાના થયા છે.

ગાંધીનગર પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવશે
ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો ભારત પહોંચી ગયા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, ચારેય પેસેન્જર દિલ્હી એરપોર્ટ ઉપર ઉતરી ચૂક્યા છે. ત્યાંથી ગાંધીનગરના માણસા જશે. પેસેન્જર પરત આવી ગયા પછી ગાંધીનગર પોલીસ દ્વારા ચારેય જણાની પૂછપરછ હાથ ધરવામાં આવશે. જો તેઓ પોલીસ ફરિયાદ કરવા માગતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
ગુજરાતથી દિલ્હી થઈને ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ચાર ગુજરાતીઓના અપહરણની ઘટના પ્રકાશમાં આવી છે. ઈરાનના તેહરાનમાં એક મહિલા સહિત ત્રણ પુરુષોને બંધક બનાવવામાં આવ્યા છે. અપહરણકારોએ ઓસ્ટ્રેલિયા મોકલનારા એજન્ટ અને પરિવારને ત્રાસનો વીડિયો મોકલીને કરોડો રૂપિયાની ખંડણી માંગી છે. આ ઘટનાના ખુલાસા બાદ માણસાના ભાજપ ધારાસભ્ય જયંતિ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે મદદ માંગી છે. પોતાના પત્રમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા ધારાસભ્યએ લખ્યું છે કે મહિલા સહિત ત્રણ પુરુષો માનસાના બાપુપુરા ગામના રહેવાસી છે. ચારેય દિલ્હીથી અમીરાતની ફ્લાઇટમાં નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે માનસા કેન્દ્રીય ગૃહમંત્રીનો ગૃહનિર્માણ ક્ષેત્ર છે.
આ પણ વાંચો : સમગ્ર ગુજરાતમાં માવઠાનો માર : આજે 13 જિલ્લામાં યલો એલર્ટ, માવઠાને પગલે પ્રધાનોને દોડાવતા CM, છેલ્લાં 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ
અપહરણકારોએ આ ગુજરાતીઓને ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ અને પરિવારોને ટોર્ચર કરતો વીડિયો મોકલીને કરોડો રૂપિયાની ખંડણી પણ માંગી હતી. આ ચારેય ગુજરાતીઓ માણસા પાસેના બે ગામના રહેવાસી છે. આ ઘટનાને પગલે માણસાના ભાજપના ધારાસભ્ય જયંતી પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મદદ માંગી હતી.
આ પણ વાંચો : થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1 OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
એમણે એવી માહિતી આપી હતી કે મહિલા સહિત માણસાના નિવાસી ત્રણ પુરુષ બાપુપુરા ગામના મૂળ રહેવાસી છે. દિલ્હીથી આ ચારેય અમીરાતની ફ્લાઈટમાં રવાના થયા હતા. ચારેય ગુજરાતીઓને પ્રથમ દિલ્હી લઈ જવાયા હતા અને ત્યાંથી બેંગકોક અને દુબઇ લઇ જવાયા હતા અને ત્યાંથી તહેરાન મોકલી દેવાયા હતા. ઈરાન પહોંચ્યા બાદ એમને એક ટેક્સીમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. ત્યાં એમને ભયંકર યાતનાઓ પણ આપવામાં આવી હતી તેમ નવભારત ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું. ઈરાનમાં બાબા નામના એક શખસે ગુજરાતીઓનું અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
