રાજકોટમાં સોરઠીયાવાડી પાસે હત્યાનો બનાવ : શ્રદ્ધાંજલિની પોસ્ટ પર હાસ્યવાળી ઇમોજી મૂકવા બાબતે ઝઘડો થતાં યુવકનું ઢીમઢાળી દેવાયું!
રાજકોટ શહેરના સોરઠીયાવાડી પાસે પટેલનગરમાં ફેસબુકમાં મુકેલી શ્રદ્ધાંજલિની પોસ્ટ પર હાસ્યવાળી ઈમોજી મુકતા થયેલી બોલાચાલીનો ખાર રાખીનેબે શખસોએ યુવકને છરીના ઘા ઝીંકી દેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં 11 દિવસની લાંબી સારવાર બાદ 20 વર્ષીય દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, સોરઠિયા વાડી નજીક પટેલ નગર રમાં રહેતા 20 વર્ષીય પ્રિન્સ અનિલભાઈ બિન પર ગત તારીખ 11/9 ના આરોપી બ્રિજેશ ગોંડ અંગે રજીંદર ગોંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે પોલીસે યુવકનું નિવેદન નોધી આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધાયો હતો. મૃતક યુવકે હોસ્પિટલમાં પોલીસને બનાવ અંગે નિવદેન આપતાં જણાવ્યું હતું કે, ચાર માસ પૂર્વે તેના દાદાનું અવસાન થતા ફેસબુકમાં તેમની શ્રદ્ધાંજલિની પોસ્ટ મૂકી હતી જે પોસ્ટ પર આરોપી બિપિન ગોંડ હાસ્યનું ઈમોજી મુકતા આ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ પણ વાંચો : રાજકોટના સર્કિટ હાઉસમાં ભાજપ નેતાઓ સાથે અમિત શાહની ચાય પે ચર્ચા : સાંસદ પરષોત્તમ રૂપાલાની ગેરહાજરી!
જેનો ખાર રાખીને પ્રિન્સ તારીખ 11/9ના રાત્રે ઘર પાસે બેઠો હોય ત્યારે બંને આરોપીઓ તેની પાસે આવતા યુવકે ઘર તરફ જતા બ્રિજેશે તેને પકડી લીધો હતો. દરમિયાન બીપીને “તું શું મારી સાથે અવારનવાર બોલાચાલી, ઝઘડો કરે છે? આજે તો તને મારી જ નાખવો છે“ તેમ કહી છરીનો એક ઘા પીઠના ભાગે ઝીં કી દીધો દેકારો થતાં બંને ત્યાંથી નાશી છૂટ્યા હતા.આસપાસ રહેતા લોકએ યુવકને 108 મારફતે લોહી લુહાણા હાલતમાં સારવાર અર્થે ખસેડડ્યો હતો.
યુવકને પીઢના ભાગે ઊંડો ઘા લાગી જતા તબીબો દ્વારા તત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યો હતો.જે બાદ મૃતક પ્રિન્સ સિવિલ હોસ્પિટલમાં હતો 11 દિવસ જેટલી લાંબી સારવાર બાદ ગઈકાલે તેણે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટના અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. પોલીસે તપાસના સામે આવ્યું હતું કે, મૃતક અને આરોપીઓ મૂળ બિહારના વતની હતા અને એક જ ગામના વતની હતા. ફેસબુક મોકલી પોસ્ટ મામલે આરોપી બિપિન અને પ્રિન્સ વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. બનાવથી પરપ્રાંતિય પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
