Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટથી દિલ્હી જઈને મુખ્યમંત્રી ઉપર હુમલાનું કારણ શું,દોરવણી કે બીજું કાંઈ? રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ માથું ખંજવાળી રહ્યા છે!

Thu, August 21 2025

રાજકોટના એક રિક્ષાચાલક કે જે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર તેના જ ઘરમાં ઘૂસીને હુમલો કરી દેવાની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે ત્યારે આખરે આ હુમલા પાછળનું કારણ શું જાણવા અને રાજકોટથી દિલ્હી સુધીના રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ તેમજ રાજકોટવાસીઓ માથું ખંજવાળતાં થઈ ગયા છે. રાજકીય ગલિયારાઓમાં એવા સવાલ પૂછાઈ રહ્યા છે કે કે આ હુમલા પાછળ કોઈની દોરવણી પણ હોઈ શકે છે. હુમલાને અંજામ આપનારો રાજેશ ખીમજી સાકરિયા જ્યારે પકડાર્યો ત્યારે તે શ્વાનપ્રેમી હોવાનું અને સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને રખડતાં શ્વાન પકડવાનો આદેશ આપ્યા બાદ કરાયેલી કાર્યવાહીથી ક્રોધિત થઈને આ હુમલો કર્યો હોવાની એક ચર્ચા શરૂ થઈ હતી. જ્યારે બીજી વાત એવી વહેતી થવા પામી હતી કે રાજેશનું કોઈ પરિજન જેલમાં બંધ હોવાથી તે દિલ્હીના મુખ્યમંત્રીને અરજી આપવા ગયો હતો. જો કે પોલીસ તપાસમાં આ બન્ને વાત ખોટી નીકળી છે.

હવે સવાલ એ ઉપસ્થિત થાય કે એક રિક્ષાચાલકે માત્ર બે દિવસની અંદર જ દિલ્હીના મુખ્યમંત્રી સુધી પહોંચવું કેવી રીતે સહિતની તૈયારી કેવી રીતે કરી લીધી ? આ પાછળ ચોક્કસપણે કોઈની દોરવણી હોવાની શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. દિલ્હી પોલીસની તપાસમાં એવી વિગત સામે આવી છે કે રાજેશ સાકરિયા મંગળવારે સવારે 11.30 વાગ્યે મુખ્યમંત્રીનું નિવાસસ્થાન કે જે શાલીમાર બાગ પાસે સિવિલ લાઈન્સમાં આવેલું છે ત્યાં પહોંચીને પોતે અરજદાર છે અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાની હોવાનું કહી રસિદ લઈ આવ્યો હતો. વળી, રાજેશને એ પણ ખબર હતી કે દિલ્હીના આ પછી તે મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી થોડે જ દૂર આવેલા ગુજરાત ભવનમાં રોકાઈ ગયો હતો અને બીજા દિવસે સવારે અરજદારો સાથે લાઈનમાં ઉભો રહી ગયો હતો. રાજેશનો રજૂઆતનો ક્રમ સાતમો હતો અને 8.20 વાગ્યા આસપાસ જેવો તેનો ક્રમ આવ્યો કે તેણે મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરી દીધો હતો.

પુત્ર રાજેશ ઘરેથી ઉજ્જૈન જવાનું કહી દિલ્હી પહોંચી ગયો: માતા ભાનુબેન

રાજેશ સાકરિયાના માતા ભાનુબેને જણાવ્યું હતું કે તે મહાદેવનો ભક્ત હોવાથી રવિવારે જ ઉજ્જૈન જવાનું કહીને રાજકોટથી નીકળ્યો હતો. આગલા દિવસે શ્રાવણનો સોમવાર હોય તે ઉજ્જૈન જઈ રહ્યાનું કહ્યું હતું પરંતુ જ્યારે તેના પિતાએ ફોન કર્યો ત્યારે તે દિલ્હીમાં હોવાનો જવાબ આપ્યો હતો અને અહીં તે શ્વાનો સામે થઈ રહેલી કાર્યવાહી અંગે અરજી આપવા ગયાનું જણાવ્યું હતું. રાજેશને દારૂ પીવાની ટેવ હતી પરંતુ પાંચ વર્ષથી તેણે બધું છોડી દીધાનું ભાનુબેને જણાવી ઉમેર્યું હતું કે રાજેશ મને તેમજ તેના પત્ની-સંતાનોને પણ ગમે ત્યારે મારતો હતો કેમ કે તેનો મગજ જ ગરમ છે!

આ પણ વાંચો : રેખા ગુપ્તા, કેજરીવાલ અને ચિદમ્બરમ સહિતના નેતાઓ પર થયા છે હુમલા, ગુજરાતના અનેક નેતાઓના નામ પણ સામેલ

હુમલો કરતા પહેલાં મિત્રને ફોન કર્યો હતો

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે રાજેશે હુમલો કરતા પહેલાં પોતાના મિત્રને ફોન ઉપર જણાવ્યું હતું કે તે શાલીમાર બાગ સ્થિત મુખ્યમંત્રી આવાસ ઉપર પહોંચી ગયો છે. વળી, રાજેશ પહેલીવાર જ દિલ્હી આવ્યો હોવાનું પણ ખુલ્યું છે. તે દિલ્હીની સાઈકલરિક્ષામાં બેસીને મુખ્યમંત્રી આવાસ સુધી પહોંચ્યો હતો.

પાંચ વખત રાજેશ પકડાયો, કોઇ વાર માનસિક અસ્વસ્થ ન લાગ્યાનું પોલીસનું કથન…

રાજેશ સામે પાંચ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પાંચેય કેસમાં તેની ધરપકડ કરી હતી ત્યારે આ અંગેની તપાસમાં સામેલ પોલીસ અધિકારીઓ અને કર્મી ઓને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ૨૦૧૭થી ૨૦૨૪ સુધીના સાત વર્ષમાં રાજેશ ક્યારેય માનસિક અસ્વસ્થ હોય તેનું લાગ્યું ન્હોતું. પોલીસે તો એમ પણ જણાવ્યું હતું કે રાજેશ મહાદેવનો અનન્ય ભક્ત હતો અને તે લલૂડી વોંકળીમાં આવેલી ઓરડીમાં દારૂ છુપાવતો હતો ત્યાં જ બાજુમાં આવેલા મહાદેવના મંદિર પાસે પડયો પાથર્યો રહેતો હતો.

આ પણ વાંચો : દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનાર રાજકોટનો રાજેશ 5 દિવસના રિમાન્ડ પર,સતત પૂછપરછ : રેખા ગુપ્તાને Z કેટેગરીની સુરક્ષા

રાજેશ ઉપર દારૂની હેરાફેરીના ત્રણ અને મારામારીના બે ગુના

દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનારા રાજેશ ખીમજીભાઈ સાકરિયા (રહે.ગોકુલ પાર્ક શેરી નં.2, કોઠારિયા મેઈન રોડ પર રણુજા મંદિર પાસે) સામે દારૂની હેરાફેરીના ત્રણ અને મારામારીના બે ગુના નોંધાયેલા છે. આ પાંચેય ગુના ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. તેના વિરુદ્ધ સૌથી પહેલી ફરિયાદ 26-9-2017ના નોંધાઈ હતી.

આ પછી બીજી ફરિયાદ 29-10-2020, ત્રીજી ફરિયાદ 17-8-2020, ચોથી ફરિયાદ 31-7-2022 અને પાંચમી ફરિયાદ 1-2-2024માં નોંધાઈ હતી.

Share Article

Other Articles

Previous

રાજ્યમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાના દાયરામાં : ખોટા NFSA રેશનકાર્ડ ધારકોને નોટિસ ફ્ટકારવાની જવાબદારી પરવાનેદારોને સોંપતા ભારે વિરોધ

Next

30 દિવસ જેલમાં રહે તો PM, CM,મંત્રી ઘરભેગા થશે : ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બિલ રજૂ કર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
1 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
1 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
1 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

પાવાગઢમાં ભૂસ્ખલન: નીજ મંદિરના રસ્તે ડુંગર પરથી ધસી પડ્યો પથ્થર
ગુજરાત
2 વર્ષ પહેલા
શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે : રાજ્યપાલ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી : પાકિસ્તાનથી મુંબઈ પોલીસને વોટ્સએપ પર મેસેજ આવતા ખળભળાટ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
માસુમ બાળકીની રમતે માતાનો ભોગ લીધો..!! રમતા-રમતા ઉંદર મારવાની દવા આઈસ્ક્રીમમાં ભેળવી, માતાએ ભૂલથી ખાઈ જતા નિપજ્યું મોત
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર