PSI બનાવવાનું સપનું પૂરું ન થતાં રાજકોટની 27 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત : દોડની કસોટી દરમિયાન જ પગમાં થયું’તુ ફ્રેક્ચર
રાજકોટમા શહેરમાં રહેતી અને પોલીસ ફોર્સમાં જોડાઈને સમાજની સુરક્ષા કરવાના સપના જોતી 27 વર્ષીય યુવતી નસીબ સામે હારી જઈ આપઘાત જેવું આત્મઘાતી પગલું ભરી લીધું હતું. દોડની કસોટી દરમિયાન પગમાં ફેક્ચર થતાં તેણી ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આખરે જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનો વધુ રાઉન્ડ થશે શરૂ : 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
મળતી માહિતી મુજબ, નવલનગર મેઈન રોડ પર આવેલી જે.ડી.પાઠક સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ ઝાલાની 27 વર્ષીય પુત્રી યોગિતાબાએ પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટના અંગે પરિવારે તુરંત જ 108 ને જાણ કરતાં સ્ટાફે જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. માલવિયાનગર પોલીસ મથકના એએસઆઈ હર્ષદભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : CP Radhakrishnan: સીપી રાધાકૃષ્ણને PM મોદી સાથે કરી મુલાકાત, 21 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે
પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક યોગીતાબાનું બચપનથી જ પોલીસ ફોર્સમાં જોડાવાનું સપનું હતું. આગલી ભરતી માં થોડાક માર્ક્સ માટે રહી જતા 2024માં આવલી ભરતીમાં ખૂબ જ મહેનત કરી હતી. પરંતુ દોડની કસોટી સમયે જ પગમાં ફેક્ચર થઈ જતાં સપનું તૂટી ગયું હતું. ત્યારબાદથી જ તે ડિપ્રેશનમાં સરી પડી હતી. પરિવાર દ્વારા તેની દવા પણ કરવામાં આવી તે સતત એકલું રહેવું પસંદ કરતી. ત્યારે આ ડિપ્રેશનમાં જ તેમણે આવું પગલું ભરી લીધું હતું. વધુમાં યોગીતાબાના પિતા ખાનગી એજન્સીમાં સિક્યુરિટી સ્ટાફમાં નોકરી કરે છે. મૃતક બે બહેનોમાં મોટી હતી. ત્યારે દીકરીના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.
