રાજકોટની શાંતિ ડહોળવાનું ષડ્યંત્ર ગણેશજીની 20મૂર્તિમાં તોડફોડ
રસુલપરામાં મૂર્તિ બનાવનાર મારવાડી પરિવાર ઉપર હુમલો,
ધાર્મિક લાગણી દુભાવનાર ત્રણ મુસ્લિમ શખ્સો પોલીસ સકંજામાં
રાજકોટના ગોંડલ રોડ પર રસુલપરામાં શાંતિ ડહોળવાનું ષડ્યંત્ર ગણેશજીની 20મૂર્તિમાં તોડફોડની ઘટના બનતા પોલીસે ફરિયાદ નોંધી આ બનાવમાં સંડોવાયેલ ત્રિપુટીને સકંજામાં લીધી હતી.વંડો ભાડે રાખી ગણપતિજીની મૂર્તિઓ બનાવતા રાજસ્થાની પરિવાર ઉપર રસુલપરા વિસ્તારના ત્રણ મુસ્લિમ શખ્સોએ અહીં કેમ મૂર્તિઓ બનાવો છો? તેમ કહી મારવાડી પરિવાર ઉપર હુમલો કરી આશરે 20થી વધુ ગણપતિની મૂર્તિમાં તોડફોડ હતી સમજાવવા ગયેલા વંડાના માલિકના ભાભીના વાહનમાં પણ તોડફોડ કરતાં આ મામલે તાલુકા પોલીસમાં ધાર્મીક લાગણી દુભાવવા તેમજ તોડફોડ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી.
રાજસ્થાનના પાલી જિલ્લાના દેસુરી તાલુકાના રાણકપરના સાદડી ગામના વતની કિશન નેમાભાઇ રાઠોડ મારવાડી (ઉ.વ. ર૩)અને તેના પત્ની ફૂલીબેન, સાળો મુકેશ અને બહેન કેશીબેન છેલ્લા ત્રણ મહિનાથી રાજકોટમાં રસુલપરામાં વંડો ભાડે રાખી ગણપતિની મૂર્તિ બનાવવાનું કામ કરે છે. તા ૨૬/૦૮/૨૦૨૩ ના રાત્રીના આશરે દસેક વાગ્યાના અરસામા કિશન તેમજ પરિવારના અન્ય સભ્યો મુર્તીઓનુ કલરકામ કરી જમવા બેસવાની તૈયારી કરતા હતા ત્યારે રસુલપરા ખાતે રહેતા ટકો ઉર્ફે અમીન હબીબભાઇ સમા(મુસ્લીમ) જેના હાથમા લોખંડનો પાઇપ હતો તથા રફિક ઇસ્માઇલ મનસુરી તથા તેની સાથે એક અજાણ્યો શખ્સ વંડામાં ઘૂસી આવ્યા હતા અને અહી કેમ ગણપતીની મુર્તીઓ બનાવો છો આ વંડો તમારા બાપનો નથી તેમ કહિ ત્યાં પડેલી ગણપતિની આશરે પંદરથી વીસ મુર્તીઓમાં ત્રણેય શખ્સોએ તોડફોડ કરી મૂર્તિઓ તોડવા લાગેલ અને કિશન અને તેના પરિવારે આજીજી કરી મુર્તી તોડવાની ના પાડતા ટકો ઉર્ફે અમીન હબીબભાઇ સમા(મુસ્લીમ) જેના હાથમા લોખંડનો પાઇપ હતો તથા રફિક ઇસ્માઇલ મનસુરી તથા તેની સાથે અજાણ્યા શખ્સે કિશન અને તેના પરિવાર ઉપર હુમલો કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.

આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ બનાવમાં પોલીસે આઇપીસી કલમ 447,294(b),323,295,427,114 મુજબ ગુનો નોંધી આ ત્રિપુટીને સકંજામાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટમાં ગણેશ મહોત્સવ પૂર્વે શાંતિ ડહોળવાનું ષડ્યંત્ર ગણેશજીની 20મૂર્તિમાં તોડફોડ કરતાં મામલો તંગ બની ગયો હતો.

માતા-પુત્રના એક્સેસમાં પણ તોડફોડ
કિશન અને તેના પરિવારના સભ્યોએ રસુલપરામાં રહેતા ઇરફાનભાઇ સીદીકભાઇનો ડેલો ગણપતિની મૂર્તિ બનાવવા ભાડે રાખ્યો હોય આ ઘટના સમયે કિશને વંડાના માલિક ઇરફાનભાઇના ભાભી નશીમબેન રહિમભાઇ સાંધને ફોન કરતાં નશીમબેન તેમજ તેનો પુત્ર અમન રહિમભાઇ સાંધ એક્સેસ લઈ ત્યા આવ્યા હતા અને ટકો ઉર્ફે અમીન હબીબભાઇ સમા,રફિક ઇસ્માઇલ મનસુરી તેમજ અજાણ્યા શખ્સએ તોડફોડ કરતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો પરતું આ ત્રિપુટીએ તેમના એક્સેસમાં પણ પાઇપ તથા લાતો વડે તોડફોડ કરી હતી.

ધાર્મિક તહેવારો પૂર્વે બનેલા બનાવથી તંગદિલી
રસુલપરામાં બનેલા બનાવ બાદ પણ મારવાડી પરિવારમાં ભયનો માહોલ યથાવત રહ્યો હતો. આ બનાવના કારણે સમગ્ર વિસ્તારમાં અજંપાનું વાતાવરણ ફેલાયું હતું. આ ઘટનાને કારણે વિસ્તારમાં વાતાવરણ તંગ થઇ જતાં તાલુકા પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા. અધિકારીઓએ મોડી રાતે કોમ્બિંગ કરી હુમલાખોરોના ઘરની તલાશી લીધી હતી.સાતમ-આઠમ અને ગણેશ ઉત્સવનો તહેવાર નજીક આવી રહ્યો છે તે પૂર્વે બનેલા બનાવથી આ વિસ્તારમાં તંગદિલી ઊભી થઈ છે.
