Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક નિવૃત : 80 એન્કાઉન્ટર કર્યાનો રેકોર્ડ, દાઉદની ગેંગના 22, છોટા રાજનની ગેંગના 20 ગેગસ્ટરને માર્યા હતા

Fri, August 1 2025

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા થયેલા મહારાષ્ટ્ર પોલીસના અધિકારી દયા નાયક ગુરુવાર, 31 જુલાઈના રોજ નિવૃત્ત થયા છે. તેને નિવૃતિના એક દિવસ પહેલા જ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે બઢતી આપવામાં આવી હતી. દયા નાયકની નિવૃત્તિને અંડરવર્લ્ડને ખતમ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા પોલીસકર્મીઓના યુગના અંત તરીકે જોવામાં આવી રહી છે.નિવૃત્તિ સમયે દયા નાયકે કહ્યું હતું કે, તેને વધુ સમય મહારાષ્ટ્રની સેવા કરવાની તક મળી હોત તો વધુ આનંદ હોત. જો કે, મને જે માન સન્માન મળ્યુ છે તે બદલ હું સૌનો આભારી છું.

wikipedia

દયા નાયકે મુંબઈમાં અંડરવર્લ્ડને ખતમ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દયા નાયક 1995માં મુંબઈ પોલીસમાં જોડાયા હતા. તેઓ ઘણા વર્ષો સુધી મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી સ્ક્વોડમાં પણ પોસ્ટેડ હતા. તેઓ 2021માં મુકેશ અંબાણીના ઘર પાસે એક કારમાંથી મળી આવેલા વિસ્ફોટકો અને ત્યારબાદ થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના કેસને ઉકેલનાર ટીમનો ભાગ હતા. દયા નાયક છેલ્લે ક્રાઈમ બ્રાન્ચના બાંદ્રા યુનિટમાં પોસ્ટેડ હતા.

Retirement Announcement

After 31 years of dedicated service in the police department, I retire today with deep pride and gratitude. In what feels like a fitting culmination to a fulfilling career, I was promoted to the post of Assistant Commissioner of Police just two days… pic.twitter.com/lgqskfHlzL

— DAYA NAYAK (@DayaBNayak) July 31, 2025

દયા નાયક 1990 ના દાયકામાં એવા પોલીસ અધિકારીઓમાંના એક હતા જેમણે ‘એન્કાઉન્ટર’માં ઘણા ગેંગસ્ટરોને મારી નાખ્યા હતા. આ માટે તેમણે ઘણી ખ્યાતિ મેળવી હતી. તેઓ એક ઉચ્ચ પ્રોફાઇલ અધિકારી છે જેમણે લગભગ 80 એન્કાઉન્ટર કર્યા હતા. દયા નાયકે દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનની ગેંગ સાથે સંકળાયેલા ઘણા ગેંગસ્ટરોને મારી નાખ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ ઉપર બનશે નવું ટર્મિનલ : માર્ચ-26થી બાંધકામ શરુ થવાની ધારણા : વર્ષે 2 કરોડ મુસાફરોને હેન્ડલ કરી શકાશે

image-X-@DayaBNayak

2006 માં, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ તેમની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધ્યો હતો. થોડા વર્ષો પહેલા, તેમને અપ્રમાણસર સંપત્તિના કેસમાં લગભગ સાડા છ વર્ષ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમને પોલીસ દળમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. દયા નાયક કર્ણાટક રાજ્યના છે. તેમનો જન્મ કર્ણાટકના ઉડુપી જિલ્લામાં કોંકણી ભાષી પરિવારમાં થયો હતો.

અનેક ફિલ્મો પણ બની

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ખ્યાતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના જીવન પર એક નહીં પણ અનેક ફિલ્મો બની હતી. 2004 માં આવેલી ક્રાઈમ ડ્રામા ફિલ્મ ‘અબ તક છપ્પન’ દયા નાયકના જીવનથી પ્રેરિત હતી. આ ફિલ્મમાં નાના પાટેકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ પોલીસ એન્કાઉન્ટરમાં 56 લોકોની હત્યા કરવા માટે જાણીતા હતા. આ ઉપરાંત દયા નાયકથી પ્રેરિત ફિલ્મોમાં ગોલીમાર (તેલુગુ), રિસ્ક, એન્કાઉન્ટર દયાનાયક, આન: મેન એટ વર્ક, ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ભૂદેવ નારાજ ! ઘેલા સોમનાથ મંદિરમાં મહાપુજા મામલે ભટ્ટ પરિવારની અન્ન જળ ત્યાગની ચીમકી

ઘણા હાઇ-પ્રોફાઇલ કેસ ઉકેલ્યા

દયા નાયક મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) માં પણ કામ કરતા હતા અને 2021 માં અંબાણી નિવાસસ્થાનની સુરક્ષા સંબંધિત કેસની તપાસ કરનારી ટીમનો ભાગ હતા. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, દયા નાયક કેટલાક સનસનાટીભર્યા અને હાઇ-પ્રોફાઇલ કેસોની તપાસમાં પણ સામેલ રહ્યા છે. આમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો દ્વારા અભિનેતા સલમાન ખાનના ઘરે ગોળીબાર, એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા અને ઘુસણખોર દ્વારા અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો શામેલ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં IPOમાં રોકાણના નામે છેતરપિંડી : ઊંચુ વળતર આપવાની લાલચ આપી વધુ એક વૃદ્ધને ‘શિકાર’ બનાવ્યા

Next

અમદાવાદ એરપોર્ટ ઉપર બનશે નવું ટર્મિનલ : માર્ચ-26થી બાંધકામ શરુ થવાની ધારણા : વર્ષે 2 કરોડ મુસાફરોને હેન્ડલ કરી શકાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જમીનના ટુકડાની લાલચમાં બે પિતરાઈ ભાઈઓએ એકની એક બહેનને પતાવી દીધી: ઉનાના નેસડા ગામની ઘટના,પોલીસે હત્યારાઓને દબોચ્યા 
9 મિનિટutes પહેલા
સાલુ આપણા બધા વખતે જ 60ના ને નો-રિપીટ થિયરીના નિયમો યાદ આવે? ગાંઠિયાદાદાઓ કે આવી ગેંગોની પ્રોપર મેડિસિન ગુજસીટોક, વાંચો કાનાફૂસી
22 મિનિટutes પહેલા
PMના હસ્તે ‘રાણકી વાવ, વડનગર-બાલારામ’ના પ્રવાસન પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ,ખાતમુહૂર્ત: શર્મિષ્ઠા તળાવનો લાઇટ & સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર
36 મિનિટutes પહેલા
ગુજરાતમાં માવઠાની આફત યથાવત: 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની આગાહી, જાણો કયા-કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3031 Posts

Related Posts

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાને મળી મોટી સફળતા : 5 આતંકવાદી ઠાર, ગોળીયુદ્ધમાં 2 જવાનો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેન્દ્રીય બજેટ 2025 : હેલ્થ સેક્ટરમાં કરવેરા ઘટશે કે પછી વધુ સારું ભંડોળ મળશે ?? વાંચો વિશેષ અહેવાલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પોરબંદરના દરિયામાંથી ફરી ૪૮૦ કરોડના નશીલા પદાર્થો પકડાયા : છ પાકિસ્તાની નાગરિકની ધરપકડ
Breaking
2 વર્ષ પહેલા
તારો પતિ દારૂ પીવાની ટેવવાળો છે એટલે…ભાભીને લગ્નની લાલચ આપી પતિના માસિયાઇ ભાઇએ જ ગુજાર્યું દુષ્કર્મ
ક્રાઇમ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર