સુરતમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરીના લીધે રાજકોટ આવતી-જતી ટ્રેનોને અસર
મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ અને જામનગર હમસફર એક્સપ્રેસ રદ
સુરત યાર્ડ ખાતે આજે સવારે 9.30 કલાકથી 28 ઓગસ્ટ, 2023 ના રોજ સાંજે 5:30 કલાક સુધી નોન-ઈન્ટરલોકીંગ કામ માટે 56 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. સુરત-ઉધના થર્ડ લાઇનના કામ માટે આ બ્લોક લેવામાં આવશે. આ કામગીરીને કારણે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.જેમાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે તેમજ કેટલીક ટ્રેનો રીશેડ્યુલ કરવામાં આવી છે. જેમાં આજે અને આવતીકાલે તા 27.08. ના રોજ હાપાથી શરૂ થતી ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ રદ. આજની મુંબઈ સેન્ટ્રલ થી શરૂ થતી ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ રદ્દ. કાલે તા 27/8 ના રોજ જામનગરથી શરૂ થતી ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ રદ. આજની ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ – જામનગર હમસફર એક્સપ્રેસ રદ.
રીશેડ્યુલ કરેલ ટ્રેનોમાં તા 28.08.2023 ની ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ને રીશેડ્યુલ કરવામાં આવેલ છે. આ ટ્રેન દાદર સ્ટેશનથી બે કલાક મોડી દોડશે.