મુંબઈમાં એકનાથ શિદે જૂથના MLAની ગુંડાગીરીને સત્તાનો શિરપાવ, જે કેન્ટીન સંચાલકને માર માર્યો તેનું જ લાયસન્સ કર્યું રદ
મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધનના ધારાસભ્ય સંજય ગાયકવાડે વાસી ખોરાક પીરસવા બદલ કૅન્ટીન મેનેજરને ઢોર માર માર્યો હતો, તે મુંબઈ ધારાસભ્ય છાત્રાલયની કૅન્ટીનનું લાઇસન્સ હવે રદ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ખોરાકની ગુણવત્તા નબળી હોવાના આરોપસર કૅન્ટીનનું લાઇસન્સ રદ કર્યું છે.

મંગળવારે, શિવસેનાના ધારાસભ્ય ગાયકવાડે દાળની નબળી ગુણવત્તાને લઈને ગુસ્સે ભરાયા અને કૅન્ટીન મેનેજરને માર માર્યો હતો. ધારાસભ્યનો કૅન્ટીન મેનેજરને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાએ રાજ્યમાં વિવાદ જગાવ્યો છે અને શિવસેનાના નેતાઓના વર્તન પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : સલમાન ખાન ફિટ થવામાં વ્યસ્ત : જાણો શા માટે છોડી દીધો દારૂ, સામે આવ્યું કારણ
વિવાદો વચ્ચે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશનએ ખોરાકના નમૂના લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ 14 દિવસ પછી આવશે. પાન આ પહેલા જ ફૂડ એન્ડ ડ્રગ દ્વારા કૅન્ટીનનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે તેમને વાસી ખોરાક પીરસવામાં આવ્યો હતો. ત્યારબાદ ફૂડ ખાતું ઍક્શનમાં આવ્યું છે.
આમ ધારાસભ્ય દ્વારા કાયદો હાથમાં લઈને જે ગુંડાગીરી કરાઇ છે તે અંગે રાજ્ય સરકાર કોઈ એક્શન લેવા માંગતી નથી . આમ ગુંડાગીરીને સત્તાનો શિરપાવ મળી રહ્યો છે.
